નવી દિલ્હી : આવતા મહિનાથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા આઇસીસી વર્લ્ડ કપ દરમિયાન
ભારતીય ટીમ સામે ત્રણ નેટ બોલર અલગથી લઇ જવાશે. બીસીસીઆઇના સૂત્રોઍ જણાવ્યું છે કે
નેટ પ્રેક્ટિસ દરમિયાન ભાહતીય ટીમના મુખ્ય બોલરોને ઇજાથી બચાવવા માટે આ નિર્ણય કરાયો
છે. આ નેટ બોલર ટીમ સાથે રહેવાનો બીજા ફાયદો ઍ થશે કે જા કોઇ બોલરને વર્લ્ડકપ દરમિયાન
ઇજા થાય તો પહેલાથી જ ત્યાં હાજર ત્રણ નેટ બોલરમાંથી ઍકને વિકલ્પ તરીકે ટીમમાં સામેલ
કરી શકાશે અને વધુ ઍક ફાયદો ઍ થશે કે ઍ બોલર ઇંગ્લેન્ડના વાતાવરણથી ટેવાયેલો હોવાથી
તેને મેચમાંં સીધો ઉતારવાથી કોઇ તકલીફ નહીં પડે. આ ત્રણ નેટ બોલર કોણ હશે તેની ચર્ચા
ચાલી રહી છે અને તેમાં નવદીપ સૈની, ખલીલ અહેમદ અને મહંમદ સિરાજના નામ ચર્ચામાં છે.
ઍવી આશા રાખવામાં આવે છે કે આવતીકાલે જ્યારે ટીમની જાહેરાત કરવામાં આવે ત્યારે આ ત્રણ
નેટ બોલરના નામ પણ જાહેર કરી દેવાશે.
