દિલ્લી : ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગ દરમિયાન વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિઅરના 5 હજાર રન પૂર્ણ કર્યા હતા. કોહલી આ સિદ્ધી મેળવનારો 11મો ભારતીય બેટ્સમેન બની ગયો છે. મેચમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગનો નિર્ણય લીધો હતો. શિખર ધવનને લોકેશ રાહુલના સ્થાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે પ્રથમ ઈનિંગમાં તે 23 રન કરી આઉટ થયો હતો. પરેરાએ તેને આઉટ કર્યો હતો. ચેતેશ્વર પુજારા પણ 23 રનના સ્કોરે ગામાગેનો શિકાર બન્યો હતો. મુરલી વિજયે શાનદાર પ્રદર્શનને આગળ વધારતા અડધી સદી ફટકારી હતી.
ભારત પાસે આ વર્ષે સૌથી વધુ સિરીઝ જીતવાની તક…
જો ભારત શ્રીલંકા સામેની અંતિમ મેચ ડ્રો કરવા અથવા જીતી લે છે તો ભારતનો આ વર્ષે ચોથી ટેસ્ટ સિરીઝમાં વિજય થશે. અત્યારસુધી 2017માં ભારત અને દક્ષિણ આફ્રિકાએ 3-3 સિરીઝ જીતી છે, જો ભારત આ સિરીઝ જીતી લે છે તો આ વર્ષે સૌથી વધુ ટેસ્ટ સિરીઝ જીતનારી ટીમ બની જશે. ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યારસુધી 43 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 20 અને શ્રીલંકાએ 7 જીતી છે, જ્યારે કે 16 ટેસ્ટ ડ્રો રહી હતી. ફિરોઝશાહ કોટલા મેદાન ઉપર ભારત ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા 30 વર્ષથી અજેય છે. વિરાટની કેપ્ટનસીમાં ભારતે કોટલામાં રમાયેલ છેલ્લી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને 337 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું.