આઇસીસી વર્લ્ડ કપ પહેલાની પોતાની પહેલી વોર્મ અપ મેચમાં ન્યુઝીલેન્ડ સામે હારેલી ભારતીય ટીમ આવતીકાલે અહીં પોતાની બીજી વોર્મ અપ મેચમાં બાંગ્લાદેશ સામે મેદાને ઉતરશે ત્યારે આ મેચ જીતીને વર્લ્ડ કપમાં તેઓ હકારાત્મક મનોદશા સાથે જવાની ખેવના રાખતા હશે. ન્યુઝીલેન્ડ સામે મળેલા પરાજયને કારણે ટીમ ઇન્ડિયાને આત્મ મંથન કરવાની ફરજ પડી હશે, સાથે જ તેમને ઍવું સમજાઇ ગયું હશે કે સ્વીંગ સામે તેમણે સતર્ક રહેવાની જરૂર છે.
પહેલી મેચથી ટીમ ઇન્ડિયાને સમજાઇ ગયું હશે કે તેમણે વર્લ્ડ કપમાં બીજું કંઇ નહીં પણ સ્વીંગથી સતર્ક રહેવું પડશે
ટ્રેન્ટ બોલ્ટે ટોપ ઓડૅરની બે વિકેટ ઉપાડી અને તે પછી વિરાટ કોહલી આઉટ થયો તેની સાથે હંમેશા થાય છે તેમ સમયાંતરે વિકેટ પડતી ગઇ અને ટીમ ઇન્ડિયા રવિન્દ્ર જાડેજાની અર્ધસદીના પ્રતાપે કંઇક અશે સારા સ્કોર પહોંચી શક્યું હતું. આવતીકાલની વોર્મ અપ મેચમાં બાંગ્લાદેશનું બોલિંગ આક્રમણ કીવીઓ જેવું સ્વીંગ કરાવતું આક્રમણ નથી, પણ તે છતાં આ ટીમ અણધાર્યુ કરવા જાણીતી છે.
ભારતીય ટીમના બેટ્સમેનોઍ આવતીકાલની મેચમાં સારું પ્રદર્શન કરીને વર્લ્ડ કપ પહેલા આત્મવિશ્વાસ મેળવવાની જરૂર છે.કોહલી ઉપરાંતના બેટ્સમેનોઍ પોતાની રમતમાં સ્થિતિ અનુસાર ફેરફાર કરવાની કાબેલિયત કેળવવી પડશે. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય બોલિંગ મજબૂત રહી હતી, તેથી ઍ બાબતે ચિંતા નથી. આ તરફ બાંગ્લાદેશને હજુ સુધી વોર્મ અપ મેચ રમવાની તક મળી નથી. રવિવારે તેમની પાકિસ્તાન સામેની અહીંની વોર્મ અપ મેચ વરસાદે ધોઇ નાંખી હતી. તેમની પાસે તમીમ ઇકબાલ, સૌમ્ય સરકાર, શબ્બીર રહેમાન, મહંમદ મિથુન જેવા પ્રતિભાશાળી બેટ્સમેનો ઉપરાંત શાકિબ અલ હસનના રુપમાં ઍક ઉમદા ઓલરાઉન્ડર પણ છે. બોલિંગમાં મુસ્તફિઝુર રહેમાનને સાથ આપવા કેપ્ટન મશરફી મુર્તજા અને અબુ ઝાયેદ છે.