ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઘાયલ થયેલા શિખર ધવનની મેદાન પર વાપસી ક્યારે થશે અને તે વર્લ્ડ કપમાં રમી શકશે કે કેમ તે અંગે સસ્પેન્શ છવાયેલું છે, પણ આ ડાબોડી બેટ્સમેન પોતાના જુસ્સા અને મજબૂત મનોબળને કારણે ટૂંકમાં જ 22 ગજની પીચ પર વાપસી કરે તેવો સંકેત તેણે ખુદ આપ્યો છે.
હાથના અંગુઠાના ભાગે બોલ વાગ્યા પછી પણ 117 રનની ઇનિંગ રમનારા ધવનનો જુસ્સો કેટલો ઉંચા શિખરે છે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્વટર પર તેણે કરેલા ટિ્વટથી સમજી શકાય તેમ છે.
Kabhi mehek ki tarah hum gulon se udte hain…
Kabhi dhuyein ki tarah hum parbaton se udte hain…
Ye kainchiyaan humein udne se khaak rokengi…
Ke hum paron se nahin hoslon se udte hain…#DrRahatIndori Ji pic.twitter.com/h5wzU2Yl4H— Shikhar Dhawan (@SDhawan25) June 12, 2019
ધવને ટિ્વટ કર્યુ છે કે ‘કભી મહેંક કી તરહ હમ ગુલો સે ઉડતે હૈ . કભી ધંએ કી તરહ હમ પર્વતો સે ઉડતે હૈ. યે કેંચિયા હમે ઉડને સે ખાક રોકેંગી. હમ પરો સે નહીં હોંસલો સે ઉડતે હૈ.’ ધવને ટિ્વટ કરીને એ જાહેર કરી દીધું છે કે તે ઝડપથી પોતાની ઇજામાંથી પાછો ફરીને ટીમ ઇન્ડિયામાં સામેલ થશે અને રમતો થઇ જશે.