પેની સ્ટોકમાં મોટો ધડાકો! Davangere Sugar માં FII ની એન્ટ્રીથી મચી ગઈ ધૂમ, જાણો વિગત
ભારતીય શેરબજારમાં અત્યારે પેની સ્ટોક્સ (Penny Stocks) પ્રત્યે રોકાણકારોનો ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન 5 રૂપિયાથી પણ ઓછી કિંમત ધરાવતી દાવણગેરે શુગર કંપની લિમિટેડ (Davangere Sugar Company Limited) ના શેરમાં છેલ્લા બે દિવસથી જબરદસ્ત તેજીનો માહોલ છે. ગુરુવારે કંપનીના શેરમાં મોટો ઉછાળો જોવા મળ્યો અને શુક્રવારે પણ તે જ ગતિ જળવાઈ રહી છે.
વિદેશી રોકાણકારોની એન્ટ્રી: કરોડોના શેરની ખરીદી
બજારમાં ચાલી રહેલી ગતિવિધિઓ મુજબ, મોરેશિયસ સ્થિત વિદેશી સંસ્થાકીય રોકાણકાર (FII) ક્રાફ્ટ ઇમર્જિંગ માર્કેટ ફંડ પીસીસી (Craft Emerging Market Fund PCC) એ દાવણગેરે શુગરમાં મોટો હિસ્સો ખરીદ્યો છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ નાના રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 14 મે, 2026 ના રોજ આ ફંડે કંપનીના કુલ 5 કરોડ શેર ખરીદ્યા છે. આ રોકાણ ક્રાફ્ટ ફંડની બે પેટા સંસ્થાઓ ‘સિટાડેલ કેપિટલ ફંડ’ અને ‘એલિટ કેપિટલ ફંડ’ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં બંનેએ 2.5-2.5 કરોડ શેરની ખરીદી કરી છે. આ સોદો 3.65 રૂપિયા પ્રતિ શેર ના ભાવે થયો છે, જેની કુલ કિંમત અંદાજે 18.25 કરોડ રૂપિયા થાય છે.
શેરબજારમાં શેરમાં સતત ઉછાળો
બલ્ક ડીલના સમાચાર બાદ કંપનીના શેરના ભાવમાં મોટી હલચલ જોવા મળી છે:
-
ગુરુવારનું પ્રદર્શન: 14 મેના રોજ શેર 6.42 ટકાના ઉછાળા સાથે 3.81 રૂપિયા પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 4.03 રૂપિયાની ઉંચી સપાટીએ પણ પહોંચ્યો હતો.
-
શુક્રવારની સ્થિતિ: આજે પણ તેજી જળવાઈ રહી છે. બીએસઈ (BSE) પર શેર 3.84 રૂપિયા પર ખૂલ્યો અને જોતજોતામાં 4 રૂપિયાના સ્તરને સ્પર્શી ગયો. જોકે, ઉપરના સ્તરે થોડી નફો બુક કરવાની વૃત્તિ (Profit Booking) જોવા મળી હતી, પરંતુ એકંદરે સેન્ટિમેન્ટ પોઝિટિવ છે.
એથેનોલ સેક્ટર: ભવિષ્યની મોટી તક
દાવણગેરે શુગર કંપનીમાં આ રોકાણ પાછળ ભારતનું વધતું જતું ‘એથેનોલ બ્લૅન્ડિંગ પ્રોગ્રામ’ જવાબદાર હોવાનું મનાય છે. ભારત સરકાર પ્રદૂષણ ઘટાડવા અને આયાત બિલ ઘટાડવા માટે પેટ્રોલમાં એથેનોલ ભેળવવા પર ભાર મૂકી રહી છે. આનાથી ખાંડ અને એથેનોલ બનાવતી કંપનીઓ માટે કમાણીના નવા રસ્તા ખુલ્યા છે.
કંપની અત્યારે પ્રતિદિન 150 KLPD (કિલો લિટર પ્રતિ દિવસ) એથેનોલ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. મેનેજમેન્ટનું માનવું છે કે વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલ આ રોકાણ કંપનીના બિઝનેસ મોડલ અને ભવિષ્યના ગ્રોથ પરનો વિશ્વાસ દર્શાવે છે.
રોકાણકારો માટે શું છે સંકેત?
દાવણગેરે શુગર હવે માત્ર ખાંડ બનાવવા પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે રિન્યુએબલ એનર્જી અને ક્લીન ફ્યુઅલ સેક્ટરમાં પણ પોતાની હાજરી મજબૂત કરી રહી છે. વિદેશી ફંડના આગમનથી કંપનીની આર્થિક સ્થિતિ અને માર્કેટ વેલ્યુમાં સુધારો થવાની શક્યતા છે.

