IPL 2026 શરૂ થાય તે પહેલા દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો! ઘાતક બોલર ઈજાના કારણે શરૂઆતની મેચોમાંથી બહાર

2 Min Read

IPL 2026: સીઝન શરૂ થાય તે પહેલા દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો, મેચ વિનર બોલર શરૂઆતી મેચોમાંથી બહાર

આઈપીએલની 19મી સીઝનનો પ્રારંભ 28 માર્ચથી થવા જઈ રહ્યો છે, પરંતુ તે પહેલા જ ઘણી ટીમો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હી કેપિટલ્સના સ્ટાર ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક આગામી આઈપીએલની શરૂઆતી મેચોમાં રમી શકશે નહીં. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટ કર્યું છે કે સ્ટાર્ક શરૂઆતના કેટલાક મુકાબલાઓ ગુમાવશે, જેના કારણે દિલ્હીની ટીમની રણનીતિને મોટો ફટકો પડી શકે છે.

 c.jpg

- Advertisement -

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સ્ટાર્ક બાબતે કોઈ જોખમ લેવા માંગતું નથી

36 વર્ષીય મિચેલ સ્ટાર્કને લઈને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ તેમના મુખ્ય બોલરના વર્કલોડને લઈને અત્યંત સાવધ છે. છેલ્લા એક વર્ષમાં સ્ટાર્કે ઘણું ક્રિકેટ રમ્યું છે અને આગામી વર્ષે પણ તેમનું ઇન્ટરનેશનલ શિડ્યુલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટ સ્ટાર્કની ફિટનેસને લઈને કોઈ જોખમ ઉઠાવવા માંગતું નથી. નોંધનીય છે કે આઈપીએલ 2025 માં સ્ટાર્કે દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર પ્રદર્શન કરતા 10 ઇનિંગ્સમાં 14 વિકેટ ઝડપી હતી.

દિલ્હી પાસે અન્ય વિકલ્પોની કસોટી થશે

મિચેલ સ્ટાર્કની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અને મેનેજમેન્ટે હવે અન્ય બોલરો પર નિર્ભર રહેવું પડશે. દિલ્હીના સ્ક્વોડમાં ટી. નટરાજન, કાઈલ જેમીસન, આકિબ નબી ડાર અને દુષ્મંથા ચમીરા જેવા ઝડપી બોલરોના વિકલ્પો ઉપલબ્ધ છે. જોકે, પાવરપ્લે અને ડેથ ઓવર્સમાં સ્ટાર્કની જે ધાર જોવા મળે છે, તેની ખોટ ટીમને ચોક્કસપણે વર્તાશે. હવે જોવાનું એ રહેશે કે આમાંથી કયો બોલર શરૂઆતી મેચોમાં દિલ્હી માટે એક્સ-ફેક્ટર સાબિત થાય છે.

- Advertisement -

dihli.jpg

કમિન્સ અને હેઝલવુડ પર પણ લટકતી તલવાર

માત્ર દિલ્હી જ નહીં, પરંતુ અન્ય ટીમો પણ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની અનુપલબ્ધતાથી પરેશાન છે. પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ પણ આઈપીએલ 2026 ની શરૂઆતી મેચો ગુમાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા અનુસાર, આ ત્રણેય ખેલાડીઓની ઉપલબ્ધતા આગામી અઠવાડિયામાં તેમના રિકવરી પ્રોટોકોલ અને મેદાન પર વાપસીની પ્રગતિ પર નિર્ભર રહેશે. આ સમાચાર બાદ હૈદરાબાદ અને બેંગલુરુ જેવી ટીમોએ પણ પોતાની પ્લેઈંગ ઈલેવન માટે નવી રણનીતિ બનાવવી પડશે.

Share This Article