અમદાવાદઃ આદ્યશક્તિ જગદંબા માતાના નવ સ્વરૂપો છે એટલે તેમને નવદુર્ગા પણ કહેવામાં આવે છે. નવરાત્રીના બીજા નોતરામાં માતા બ્રહ્મચારિણીની પૂજા-આરાધના કરવામાં આવે છે. બ્રહ્મચારીણી એ માતા નવદુર્ગાનું બીજુ સ્વરૂપ છે.
નવદુર્ગાની નવ શક્તિયોમાં બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે. અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા થાય છે બ્રહ્મચારિણી અર્થાત તપની ચારિણી, તપનું આચરણ કરવાવાળી. કહ્યું પણ છે – વેદસ્તત્વ તપો બ્રહ્મ- વેદ, તત્વ અને તપ ‘બ્રહ્મ’ શબ્દનો અર્થ છે.
નવરાત્રીના બીજા દિવસે માતાજીના બ્રહ્મચારીણી સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન ‘સ્વાધિષ્ઠાન’ ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં અવસ્થિત મનવા યોગી તેમની કૃપા અને ભક્તિ મેળવે છે.
બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે. તેમના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ હોય છે.
માઁ બ્રહ્મચારિણી ભક્તો અને સિધ્ધ પુરૂષોને અનંત ફળ આપવાવાળી છે. તેમની ઉપાસનામાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃધ્ધિ થાય છે. જીવનના આવતા સંધર્ષો દરમિયાન પણ તેમનુ મન કર્તવ્ય-પથથી વિચલિત નથી થતુ. માઁ ની કૃપાથી તેને બધે જ સિધ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે.
સાધકો આદિવસે કુંડલિનીશ ક્તિને જાગ્રત કરવા માટે સાધના કરે છે. માં બ્રહ્મચારીણી ની સાધના અને પૂજા જે કરે છે તે મનુષ્ય પોતાના જીવનામાં સફળતા પ્રાપ્ત કેરે છે.અને ઘણી બધી સમસ્યાઓ થી રક્ષણ મેળવે છે. માતાના મંત્રોના જાપ કરવાથી માત્ર મનુષ્યોના તાપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, તેમજસંયમની વૃદ્ધિ થાય છે. માં ના પૂજનમાં સાકરનો ભોગ ધરવામાં આવે છે જેથી માં પ્રશન્ન થઈ આયુષ્ય વૃદ્ધિના આશીર્વાદ આપે છે.