મુંબઇઃ બેન્કો સહિતથી ઘણી સુવિધાઓ આપવામાં આવતી હોય છે જો કે તેમાંથી ઘણી સુવિધાઓ અંગે ખાતાધારકો અજાણ હોય છે અથવા તો બેન્કો તરફથી ગ્રાહકોને પુરતી માહિતી આપવામાં આવતી હોતી નથી. આજે અમે તમને આવી જ એક સુવિધા અંગે માહિતી આપીશુ જેમાં તમને 10 લાખ રૂપિયા સુધીનો મફત વીમા કવચ મળે છે.
કેન્દ્ર સરકારે વર્ષ 2014માં જનધનની સ્કીમની શરૂઆત કરી હતી. આ સ્કીમ અંતર્ગત જીરો બેલેન્સ પર બચત ખાતું ખુલે છે. અત્યાર સુધીમાં કુલ 41 કરોડ લોકોએ આ સ્કીમ અંતર્ગત ખાતા ખોલાવ્યા છે. આ સ્કીમ અંતર્ગત આ એકાઉન્ટ્સમાં મિનિમમ બેલેન્સ મેન્ટેઇન નથી કરવાનું હોતું. એ જ કારણ છે કે, આટલાં લોકોએ આ ખાતા શરૂ કર્યાં. મોદી સરકારે દેશમાં કેશલેસ ઇકોનોમી (Cashless Economy) ને પ્રોત્સાહન આપવા માટે આની શરૂઆત કરી હતી.
રૂપે સિલિક્ટ ક્રેડિટ કાર્ડ (RuPay Select Credit Card) સાથે 10 લાખ રૂપિયાની કિંમતનું વ્યક્તિગત દુર્ઘટના સમયે વીમા કવર આપવામાં આવે છે. SBI અને PNB સહિત તમામ મુખ્ય સરકારી બેંકો આ કાર્ડ આપે છે. HDFC, ICICI બેંક, એક્સિસ બેંક સહિત વધારે પ્રાઇવેટ બેંકો પણ આ કાર્ડ ઉપલબ્ધ કરાવી આપે છે. ત્યારે તમે તમારી બેંકને આની વિશે પૂછી શકો છો.
એક્સિડન્ટમાં જો મોત થઇ જાય અથવા તો કાયમી ધોરણે જો ડિસએબિલિટી થઇ જવાય તો તેની પર ઇન્શ્યોરન્સ કવર મળે છે. રૂપે કાર્ડ બે પ્રકારના હોય છે. ક્લાસિક અને પ્રીમિયમ. ક્લાસિક કાર્ડ પર એક લાખ રૂપિયાનું કવર છે અને પ્રીમિયમ પર 10 લાખ સુધીનું ઇન્શ્યોરન્સ કવર મળે છે.