કહેવાય છે કે અમુક તહેવારો સારા પણ હોય છે અને અમુક તહેવારો જોખમ ભર્યા હોય છે એક એવો તહેવાર કે જેમાં ધોરણ 1 માં અભ્યાસ કરતો માસૂમ બાળક જયારે પોતાની જીદ પુરી કરવા ધાબા પર પતંગ ચગાવા ગયો અને ધાબા પરથી નીચે પડતા જ તેના જીવનની દોરી તૂટી પતંગ ની દોરી તૂટી જાય ને તો તેની દોરી તો બીજી આવી જાય છે જયારે પોતાના 6 વર્ષના બાળકની જીવન દોરી તૂટી ગઈ છે તો કોણ પાછી લાવી દેશે એટલે હું તમને ઉતરાયણ ના તહેવાર પહેલા અને ઉતરાયણ ના દિવસે શું સાવચેતી રાખશો જાણો નીચેની બાબતો ”
પતંગ ચગાવતા પહેલાં આંગળીઓને મેડીકેટેડ ટેપ લગાવી જોઈએ.
બાળકોએ વાલીની દેખરેખ હેઠળ પતંગો ચગાવવો જોઈએ.
વાહન ચાલકે હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ.
બાઇક પર આગળ સેફ્ટી સળીયો લગાવવો.
કોઈને ઈજા થાય તો 108 નંબર ડાયલ કરવો.
લીસી, ખરબચડી, તૂટેલી અને નબળી અગાસી અથવા છત કે ધાબા પર ઉભું રહેવું ન જોઈએ.
નબળા બાંધકામ કે છાપરા પર પતંગ ચગાવવા ચડવું નહીં.
ઉંચાઈએથી જમીન પર કૂદવું જોઈએ નહીં.
જાહેર રસ્તા પર પતંગ પકડવા દોડવું ન જોઈએ.
ઈલેકટ્રીક વાયર, રોડ અને વીજળીના થાંભલાની નજીક પતંગ ચગાવવો જોઈએ નહીં.
અગાસી અથવા છત કે ધાબાની પાળી પર ચઢવું જોઈએ નહીં.
14 જાન્યુઆરી એટલે ઉતરાયણનો દિવસ આ તહેવાર લોકો માટે એટલો શોખીન બની ગયો છે કે 14 ડિસેમ્બર પહેલા જ પતંગ દોરા લઈને ધાબા પર ચડી જાય છે. ઉત્તરાયણના દિવસે તો પરિવાર હાજર હોય છે માટે ખતરો ઑછો છે પણ સાદા દિવસોમાં નાના બાળકને પંતગ ચગાવવા એકલો મૂકવો એ ખૂબભયાનક બની જાય છે. અને આવું જ કઈક બન્યું સુરતના અડાજણ વિસ્તારમાં. ઘાબા પર પતંગ ચગાવવા ગયેલા બાળકના તૂટી જીવનની દોરી પાંચમાં માળેથી 6 વર્ષનું બાળક નીચે પટકાતા નજીવી સારવાર હેઠળ થયું મોત બહેન તથા બાળ મિત્રો સાથે પતંગ ચગાવવા અગાશી પર ચઢ્યો હતો બહેન અને મિત્રો નજર સમક્ષ ની પટકાયું મૃતક બાળકના પિતા જણાવેલી આપવીતી અનુસાર દીકરો ધોરણ 1માં ભણતો હતો. તે તેની મોટી બહેનને લઈ રોજ બાળમિત્રો સાથે ધાબા પર રમવા જતો હતો. અન્ય લોકોને જોઈને તેને પણ પંતગ ચગાવવાની ઈચ્છા થઈ અને જીદ પકડી હતી આથી તેની મમ્મીએ તેને પતંગ ખરીદીને આપ્યો હતો. જે બાદ તેઓ બધા ધાબા પર ગયા હતા અને અચાનક જ દીકરો નીચે પકટકાતા રાડારાડ થઈ હતી પીડિત પિતાએ કહ્યું હતું કે તેને માથા અને છાતીમાં ઊંડી ઇજાઓ થઈ હતી જ્યાં ખાનગી હોસ્પિટલમાં નજીવી સારવાર બાદ બાળકને મૃત જાહેર કરાયો હતો. બપોર સુધીમાં તેની પત્નીને તો એમ જ છે કે પોતાનું બાળક હોસ્પિટલમાં સારવાર જ લઈ રહ્યો છે અને હાલ તેને સારું છે પણ મારુ મન ભરાઈ ગયું છે. હું આખી રાત મારા દિકરાના મૃતદેહ સામે કેવી રીતે રહ્યો છું તે તો મારુ મન જાણે છે. પોસ્ટમોર્ટમ થાય પછી દીકરાના મૃતદેહને ઘરે લઈ જશે ત્યારે તેની પત્નીને જાણ કરશે.