જૂનાગઢની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા તળાવનું બ્યુટીફિકેશન ચાલી રહ્યું છે આ કામગીરીને કારણે કાળવાના વોકળાનું પાણી વોર્ડ નંબર 11 વિસ્તારમાં સંગ્રહિત થાય છે આ પ્રદૂષિત પાણી બોરના તળમાં ઉતરી જવાથી લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં મહાપાલિકા દ્વારા આ દૂષિત પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ગઈકાલે આમ આદમી પાર્ટીએ મહાપાલીકા કચેરીએ જઈ દૂષિત પાણીનો નિકાલ ન થાય તો તળાવની બ્યુટીફિકેશનની કામગીરી રોકી દેવા ચીમકી આપી હતી. આજે સાંજ સુધીમાં મનપા દ્વારા પ્રદૂષિત પાણીના નિકાલ માટે કોઈ કામગીરી શરૂ કરવામાં આવી ન હતી આથી આજે સાંજે છ વાગ્યે આમ આદમી પાર્ટીની આગેવાનીમાં આસપાસની સોસાયટીના રહીશોએ તળાવની બ્યુટીફિકેશન સાઈડ પર જઈ વાહનોને રોકી દીધા હતા અને કામગીરી બંધ કરાવી હતી આ અંગે જાણ થતા મનપાના સ્ટાફ તેમજ પોલીસ ત્યાં પહોંચી હતી બાદમાં આવતીકાલથી પ્રદૂષિત પાણીનો નિકાલ કરવાની ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. આમ પ્રદૂષિત પાણી નિકાલ જેવા સામાન્ય પ્રશ્ન પણ લોકોએ આંદોલન કરવું પડ્યું હતું ત્યારબાદ જ મનપા દ્વારા ખાત્રી આપવામાં આવી હતી. હવે આવતીકાલે મહાપાલિકા દ્વારા આ કામગીરી થાય છે કે કેમ? તે જોવું રહ્યું
Wednesday, May 1