હવે પારડીમાં સ્વાઇન ફ્લુએ માથું ઉંચકતા પારડી આરોગ્ય તંત્રે સજાગ બનવાની જરૂરિયાત
વલસાડ જિલ્લા આરોગ્ય ટીમ સાવચેતીના પગલાં ભારે તે જરૂરી
પ્રતિનિધિ પારડી
પારડી શહેરના એક વૈષ્ણવ સમાજના અગ્રણી વકીલના ભાઈ નું સ્વાઇન ફ્લુના પગલે સુરત મિશન હોસ્પિટલ ખાતે બે દિવસ ના સારવાર દરમિયાન મોત નિપજયુ હતું પારડી વૈષ્ણવ સમાજમાં શોક ની કાલિમા છવાઈ ગઈ છે
વલસાડ જીલ્લામાં સ્વાઇન ફ્લુએ માથું ઉંચકતા આરોગ્ય તંત્રે સજાગ બનવાની જ્રીરિયાત છે.જીલ્લામાં મેલેરિયાના ડેન્ગ્યુ ના શંકાસ્પદ કેશો પારડીમાં નોંધાઈ રહ્યા છે જેની નોંધ વલસાડ જિલ્લા આરોગ્યમાં તમામ રિપોર્ટ પારડી નગર પાલિકા નગરમાં આવેલ દરેક હોસ્પિટલો માંથી લઇ ને મોકલી આપતા હોય છે જે તમામ જવાબદારી ત્યારબાદ વલસાડ આરોગ્યની બનતી હોય છે ત્યારે પારડી પટેલ સ્ટ્રીટ માં રહેતા યોગેશભાઈ મદનભાઈ શાહ ઉ.વ.62 ના ને છેલ્લા ત્રણ દિવસથી તબિયત લથડતા પ્રાથમિક સારવાર પ્રથમ પારડી મોહન દયાળ હોસ્પિટલ માં લાવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે શંકાસ્પદ સ્વાઇન ફલૂ ના લક્ષણ દેખાતા સારવાર અર્થે સુરત ની મિશન હોસ્પિટલ માં ખસેડાયા હતા જ્યાં બે દિવસની સારવારમાં યોગેશ ભાઈનું મોત નીપજ્યું હતું આરોગ્યની ટીમે તપાસ કરતા યોગેશભાઈ મદનલાલ શાહનો સ્વાઈન ફ્લુનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે વલસાડ જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તાવ શરદી ખાંસી સહિતના વધતા કેસો માટે ઘર ઘર જઈને દવાઓ નું વિતરણ પણ કરવામાં આવતું પરંતુ હાલમાં આ બાબતે આરોગ્ય તંત્ર ઉદાસીન જણાઈ રહ્યું છે સરકારી હોસ્પિટલોમાં સરકાર કરોડો રૂપિયા ખર્ચો કરતા હોય છે પરંતુ સરકારી અધિકારીની બેદરકારીને લઈને અનેક ગરીબ લાચાર દર્દીઓ આવતા હોય છે અને દર્દીને તપાસ કરી તાત્કાલિક દર્દીને વધુ સારવાર માટે રીફેર કરતા હોય છે જેના અનેક કિસ્સા મીડિયા પાસે આવતા હોય છે ત્યારે સરકારે કડક વલણ અપનાવાની હવે જરૂર છે