મહારાષ્ટ્રના બુલઢાણામાં મોડી રાત્રે યવતમાલથી પુણે જઈ રહેલી બસ પોલ સાથે અથડાયા બાદ ડિવાઈડર પર થઈ પલટી મારી ગયા બાદ બસ સળગી ઉઠતા બસમાં સવાર 33 મુસાફરો પૈકી 25 મુસાફરોના ગંભીર રીતે દાઝી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા જ્યારે આઠ મુસાફરોએ બસની બારીના કાચ તોડીને બહાર કૂદી જઈ પોતાનો જીવ બચાવ્યો હતો.
આ ભયાનક અકસ્માતમાં બચી ગયેલા બસનો ડ્રાઈવરે જણાવ્યું કે ટાયર ફાટ્યા બાદ બસ પલટી ગઈ, જેના કારણે બસમાં આગ લાગી.
સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે બસ પલટી જવાને કારણે ડીઝલની ટાંકી ફાટી હતી. જેના કારણે રોડ પર ડીઝલ ફેલાઈ ગયું હતું. જેના કારણે આગ લાગી હતી.
આ અકસ્માત નજરે જોનારા લોકોનું કહેવું છે કે ડ્રાઈવરે બસમાં સંતુલન ગુમાવી દેતા બસ પહેલા લોખંડના પોલ સાથે અથડાઈ હતી અને કોંક્રીટ ડિવાઈડર સાથે અથડાયા બાદ તે પલટી ગઈ હતી જેમાં બસનો દરવાજો નીચે આવી જતા મુસાફરો પાસે બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો.
પોલીસે બસમાંથી 25 મૃતદેહોને બહાર કાઢ્યા છે.
ગંભીર રીતે દાઝી ગયેલા મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બન્યું છે.