કોરોના વાઈરસ મહામારીને કારણે માસ્ક પહેરવું જરુરી થઈ ગયું છે. કેટલાક લોકોનું કહેવું છે કે, માસ્ક પહેરવાથી શ્વાસમાં આવતા ઓક્સિજનની માત્રા ઘટી જાય છે અને શ્વાસ બહાર કાઢીએ ત્યારે જે કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળે છે તે પાછો શ્વાસમાં જાય છે. જેના કારણે માથામાં દુખાવો, ગભરામણ જેવી સમસ્યા થઈ શકે છે.
લોકો ઘરની બહાર નિકળતા પહેલા પોતાના મોઢાને માસ્ક અથવા તો રુમાલ વડે ઢાંકી દે છે. જેથી કોરોનાનો ખતરે ખુબ જ આછો થઈ જાય છે. તે માટે માસ્ક ભારતમાં પણ હવે અનિવાર્ય કરી દીધું છે. પરતું હવે ફેસ માસ્કને લઇ એક નવી વાત સામે આવી રહી છે.
તાજેતરમાં જ સોશિયલ મીડિયમાં માસ્ક પહેરવા પર સૌથી વધારે વાયરલ પોસ્ટ થઈ રહી છે. જે પોસ્ટમાં જોવા મળે છે કે, માણસ સતત માસ્ક પહેંરી રાખે તો ઓક્સિજનની અછત સર્જાય છે અને કાર્બન ડાયોક્સાઈડની માત્રા બલ્ડમાં વધી જાય છે. હવે સવાલ એ છે કે શું આ તમામ બાબત સાચી છે કે? અથવા તો ફક્ત આ પ્રકારની પોસ્ટથી માત્ર સોશિયલ મીડિયામાં લોકોને ડરાવવામાં આવી રહ્યા છે.