1 લાખમાં વેન્ટીલેટર? હોય નહીં… રૂપાણીએ શું કહ્યું? રાજકોટનો ડંકો વાગ્યો…
ગાંધીનગર– મુખ્યમંત્રી વિજય રૂપાણીના વતન શહેર–રાજકોટની એક ખાનગી ઉત્પાદન કંપનીએમાત્ર ૧૦ દિવસમાં જ તૈયાર કરેલા વેન્ટીલેટર ‘ધમણ–૧’ની સફળતાનું નિરીક્ષણ અમદાવાદસિવીલ હોસ્પિટલ સંકુલની કોરોના કોવિડ હોસ્પિટલમા કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ધમણ–૧ વેન્ટીલેટરનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું કે, પ્રવર્તમાન કોરોના વાયરસની બિમારીના દરદીઓની સારવાર માટે જરૂરી એવા વેન્ટીલેટરનીમાંગ વિશ્વભરમાં વધી છે અને આની પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધિ માટે સૌ ચિંતીત છે. એટલું જનહિ, અનેક જગ્યાઓએ વેન્ટીલેટર, પ્રોટકશન કિટ, N-95 માસ્ક વગેરેની અછત છે ત્યારેગુજરાતે જનઆરોગ્ય રક્ષામાં એક નવી સિદ્ધિ મેળવી છે.
રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં રાજકોટની ખાનગી કંપની જ્યોતિ CNC એ માત્ર ૧૦ જ દિવસનાટુંકાગાળામાં રૂ. ૧ લાખથી ઓછી કિંમતનું વેન્ટીલેટર ધમણ–૧ નું નિર્માણ કર્યુ છે. સૌરાષ્ટ્રનુંરાજકોટ સ્મોલ સ્કેલ યુનિટનું હબ છે અને રાજકોટના અનેક નાના ઊદ્યોગો દેશ–વિદેશમાં અન્યમોટા ઊદ્યોગો માટે સ્પેરપાર્ટસ આનુષાંગિક ઉત્પાદન તરીકે બનાવી આપે છે. ખાસ કરીને રેલ્વે, ડિફેન્સ અને નાસામાં ઉપયોગમાં લેવામાં આવતી મશીનરીના પૂર્જા રાજકોટ સ્થિત કંપનીઓબનાવે છે.
હવે રાજકોટની ખાનગી કંપની જ્યોતિ CNC એ જનઆરોગ્ય સુખાકારી માટે વેન્ટીલેટર–ધમણ–૧ બનાવીને પ્રવર્તમાન પરિસ્થિતીમાં દિશાદર્શક કામગીરી કરી છે. ઔદ્યોગિક ક્ષેત્રેઅગ્રેસર ગુજરાતે કોરોનાની વૈશ્વિક મહામારીથી વિશ્વને બચાવવા આ સસ્તા વેન્ટીલેટરનાઉત્પાદનથી નવી દિશા ચીંધી છે.
એટલું જ નહિ, રાજકોટના સ્થાનિક ઊદ્યોગકાર શ્રી પરાક્રમસિંહ જાડેજા અને જ્યોતિ CNCનીતેમની ટીમે આ વેન્ટીલેટર ધમણ–૧ ના નિર્માણથી ‘‘મેઇક ઇન ઇન્ડીયા મેઇક ઇન ગુજરાત’’નોધ્યેય સાકાર કર્યો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે કોરોનાની બિમારીની સારવામાં વેન્ટીલેટરઅત્યંત અગત્યનું છે. રાજ્યની ખાનગી હોસ્પિટલોના વેન્ટીલેટરનો ઉપયોગ કરવા માટેઆયોજન હાથ ધરાયું છે પરંતુ રૂ. ૬ લાખ જેટલી કિંમતમાં ઉપલબ્ધ થતું વેન્ટીલેટર રાજકોટનીજ્યોતિ CNC કંપની દ્વારા એક લાખથી પણ ઓછી કિંમતમાં નિર્માણ પામશે અને કોરોનાનાદરદીઓ ઉપરાંત અન્ય દરદીઓ માટે પણ ઉપયોગી પૂરવાર થશે.
તેમણે કહ્યું કે, જ્યોતિ CNC એ આ ધમણ–૧ વેન્ટીલેટરના પ્રથમ ૧ હજાર વેન્ટીલેટર મશીન્સરાજ્ય સરકારને વિનામૂલ્યે આપવાનું સામાજીક સેવા દાયિત્વ પણ જાહેર કર્યુ છે.
કંપનીના સ્થાપક ઊદ્યોગકાર પરાગક્રમસિંહે જણાવ્યું હતું કે અમારી કંપનીના રાજેન્દ્ર પરમારપાંચ વર્ષ અમેરિકામાં રહી ચુકયા છે અને છેલ્લા ૧પ વર્ષથી અહીં રાજકોટમાં સ્થાયી થયા છે. તેમના સફળ પ્રયાસોના કારણે માત્ર ૧૦ દિવસમાં અમે ધમણ–૧ નું નિર્માણ કર્યુ છે. ૧પ૦ જેટલાવિવિધ ઇજનેરના ટીમ વર્કથી આ મિશન પાર પડયું છે. ર૬ જેટલી કંપનીઓ પાસેથી વિવિધપાર્ટસ મેળવીને તેને અંતિમ ઓપ આપ્યો છે. આ પ્રેશર કન્ટ્રોલ્ડ વેન્ટીલેટરની કોરોનાનાદરદીઓને વિશેષ જરૂર પડે છે. હવે પછી ધમણ–ર અને ધમણ–૩ રૂપે હાઇવર્ઝન બનાવવાનું ધ્યેયછે.
કંપની દ્વારા પ્રથમ ૧ હજાર ધમણ–૧ વેન્ટીલેટર ગુજરાત સરકારને દાનમાં અપાશે. સત્વરે ૩વેન્ટીલેટર બનાવ્યા છે અને પ્રતિદિન ૧૦ વેન્ટીલેટર મશીન બનાવવાની ક્ષમતા છે.
સિવીલના ડૉ. કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું કે કોરોનાના દરદીઓની સંખ્યા વધી રહી છે ત્યારેતેની સામે વેન્ટીલેટરની જરૂરિયાત પણ વધી છે. ધમણ–૧ વેન્ટીલેટરનો આજે સિવીલહોસ્પિટલના એક દર્દી પર સફળ પ્રયોગ કરાયો છે અને સફળ પરિણામ મળ્યું છે.