કચ્છનાં અબડાસામાં પાંચ વર્ષ મહેનત કરી સીટને કોંગ્રેસ માટે ગઢ બનાવવાની તનતોડ મહેનત કરનાર શક્તિસિંહને હવે ભાવનગર ખસેડવા પાછળ કોંગ્રેસનો કારસો છે. કોંગ્રેસના એક દક્ષીણ ગુજરાતના નેતાની નજર હવે અબડાસાની બેઠક પર છે.
અબડાસાની બેઠક પરથી કોંગ્રેસ જીતે એવા એંધાણ લાગતાં હવે દક્ષીણ ગુજરાતના કોંગ્રેસ નેતાઓએ પોતાનું એડી ચોટીનું જોર લગાવવાનું શરુ કર્યું છે. શક્તિ સિહનું આમતો હોમ ગ્રાઉન્ડ ભાવનગરજ છે. પરંતુ લોકસભાની ચૂટણીમાં એકવાર લડ્યા પછી શક્તિસિંહ સળંગ ભાવનગરમાં હાર્યા હતા પરંતુ એમની હર માત્ર દસહજારની જ હતી એની સામે ૨૦૦૭નિ ચૂટણીમાં એક બ્રાહ્મણ અને દલિત ઉમેદવાર આવી જતાં શક્તિસીહ આ ૧૦ હજારનો માર્જીન કાપી ભાવનગરથી સીધા ગાંધીનગર પહોચી ગયા હતા, પરંતુ શક્તિસિંહ એટલે ” હરિહર” આમતો હરિના માણસ છે એટલે એમનું પત્તું કાપવા માટે ૨૦૧૨માં કોળીનું વર્ચસ્વ ધરાવતી ભાવનગરની બેઠક પર પુરુષોતમ સોલંકી સામે ઉભા કરી દીધા હતા. શક્તિસિંહને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ફીનીક્સની જેમ ઉભા થવાની તાકાત ધરાવતા શક્તિસિંહ ફરી મેદાનમાં આવ્યા અને અબડાસાની સીટ પરથી જીતી આવ્યા શક્તિસિંહ મહેનત કરીને અબડાસાની સીટને ગઢ બનાવ્યો એટલે દક્ષીણ ગુજરતના એક નેતાની દાઢ હવે આ સીટ પર ડળખી છે એમણે શક્તિસિંહ ભાવનગર વેસ્ટ માટે મજબુત ઉમેદવાર હોવાનો એક રીપોર્ટ બનાવી હાઈ કમાન્ડને આપ્યો છે. જેમાં સ્પષ્ટ દર્શાવ્યું છે કે મોદી લહેરમાં આ સીટ પરથી વોટ ઘટવા ઉપરાંત કારડીયા રાજપૂતનું અંદોલન મજબુત બન્યું છે. શક્તિસિંહ રાજપૂત છે આ સંજોગોમાં દાનસીંગ પર ગોચરની જમીન માટે થયેલાં અત્યાચાર બાદ લોકોનો વિરોધ શક્તિસીહને જીતવા માટે ફાયદો કરાવે છે.
આ નેતાએ અબડાસા જીતવા માટે ભાવનગરના નરેન્દ્ર વાઘેલા, પ્રવિણસિહ રાઠોડ અને મહાવીર સિંહ ગોહિલનું કોંગ્રેસને સમર્થન હોવાનો લેટર પણ મોકલાવ્યો છે આટલું ઓછું હોય એમ કારડીયા રજપૂતોના સંમેલનમાં શક્તિસિંહના નામનો ઉપયોગ કરવવાનું શરુ કર્યું છે જેથી શક્તિસિંહ ભાવનગરમાં જીતુ વાઘાણી સામે પંજો લડાવવા તૈયાર થઇ જાય તો બીજી તરફ કારડીયા રાજપૂતઆ જશા બારડને લઇ ભાવનગરમાં જીતુ વાઘાણી ડેમેજ કન્ટ્રોલ કરી રહ્યા છે પણ કોઈ ફાયદો નથી થયો અને પટેલોએ કારડીયા રાજપૂતને ટેકો જાહેર કરતા શક્તિસિંહ મજબુત ઉમેદવાર હોવાની વાત આ દક્ષીણ ગુજરાતના નેતાઓ કરી છે જેથી શક્તિસિંહને આબડાસાથી પાછા ભાવનગર લાવી શકાય
શક્તિસિંહને ભાવનગર લાવવા મથી રહેલા નેતાનો કારસો જુઓ સત્ય ડે પર આવતીકાલે