જામનગર તાલુકાના ધુતારપર ગામમાં રહેતા એક ખેડૂત બુઝુર્ગનો મગફળી ઉતારતી વખતે થ્રેસર પરથી પડી જતા ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ નિપજ્યુ છે. જામનગર તાલુકાના ધુતારપર ગામમાં રહેતા અને ખેતીકામ કરતા જેઠાભાઇ કરસનભાઈ મુંગરા નામના 60 વર્ષના ખેડૂત બુઝુર્ગ ગઈકાલે પોતાની વાડીએ મગફળી ઓરવતી વખતે થ્રેસર પર કામ કરતા અકસ્માતે થ્રેસર ઉપરથી જમીન પર પડી ગયા હતા અને કપાળના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર માટે કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યો હતું. પંચકોશી એ ડીવીઝન પોલીસે ઘટના સ્થળે તેમજ કાલાવડની હોસ્પિટલે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
Tuesday, May 7