આ વખતે પંચાંગ ભેદ હોવાના કારણે વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશી તિથિ બે દિવસ માનવામાં આવી રહી છે એટલે 22 અને 23 મે, બંને દિવસે એકાદશી વ્રત કરવામાં આવશે. તેને મોહિની એકાદશી પણ કહેવામાં આવે છે. વૈશાખ મહિનાના સુદ પક્ષમાં આ તિથિ હોવાના કારણે ભગવાન વિષ્ણુની પૂજા, વ્રત અને દાન માટે આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. સ્કંદ પુરાણના વૈષ્ણવખંડ પ્રમાણે આ દિવસે સમુદ્ર મંથનથી અમૃત પ્રકટ થયું હતું અને ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરીને અમૃતની રક્ષા કરી હતી. આ એકાદશીનું વ્રત કરનાર લોકોએ એક દિવસ પહેલાં એટલે દશમ તિથિની રાતથી જ વ્રતના નિયમોનું પાલન કરવું જોઇએ. આ વ્રતમાં માત્ર ફળાહાર જ કરવામાં આવે છે.
માન્યતા પ્રમાણે, વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશીનું વ્રત રાખવાથી મન અને શરીર બંને જ સંતુલિત રહે છે. ખાસ કરીને ગંભીર રોગોથી રક્ષા થાય છે અને યશ પ્રાપ્ત થાય છે. આ એકાદશીના ઉપવાસથી મોહનું બંધન નષ્ટ થઇ જાય છે. એટલે જ, તેને મોહિની એકાદશી કહેવામાં આવે છે. થોડાં ગ્રંથો પ્રમાણે, આ એકાદશીનું વ્રત કરવાથી ગૌદાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશીનું વ્રત બધા જ પાપનો નષ્ટ કરીને વ્યક્તિના આકર્ષણમાં વૃદ્ધિ કરે છે. આ વ્રત કરનાર વ્યક્તિની ખ્યાતિ ચારેય તરફ ફેલાયેલી રહે છે.