ભોજનમાં માંસાહાર ઓછો કરવાથી દુનિયામાં દર વર્ષે આશરે ૬૬ લાખ ૭૩ હજાર કરોડ રૂપિયાની બચત કરી શકાય છે. ગ્રીનહાઉસ ગેસનાં ઉત્સર્જનમાં ઘટાડો થતાં ૩૩ લાખ ૩૬ હજાર કરોડ રૂપિયાની બચત થશે. આ પહેલથી સૌથી વધારે ફાયદો વિકાસશીલ દેશને થવાની વાત કહેવામાં આવી છે. ફળ અને શાકભાજીનું ઉત્પાદન વધતાં ભારત સહિત દક્ષિણ એશિયાઈ દેશની અર્થવ્યવસ્થાને મોટો ફાયદો થશે. વૈજ્ઞાાનિક રિપોર્ટના આધાર પર અઠવાડિયામાં એક દિવસ શાકાહારને અપનાવીને ધરતીને બચાવવાની દિશામાં એક મોટું પગલું ભરી શકાય છે. માંસાહાર ઓછો થતાં ગ્લોબલ વોર્મિંગમાં ઘડાટો થશે અને ધરતીનાં વાતાવરણને ઠંડું કરવામાં મદદ મળી રહેશે. અમેરિકાની નેશનલ એકેડમી ઓફ સાયન્સની શોધ અનુસાર, જો સમગ્ર દુનિયામાં શાકાહારને પ્રમોટ કરવામાં આવે તો ધરતી વધુ સ્વસ્થ, વધુ ઠંડી અને તેને વધારે સમૃદ્ધ બનાવી શકાય છે. એક અભ્યાસ અનુસાર શાકાહારને ભોજનમાં સ્થાન આપવામાં આવે તો દુનિયામાં દર વર્ષે થતાં ૫૦ લાખ મૃત્યુને અટકાવી શકાય છે. રિસર્ચમાં નક્કી કરવામાં આવ્યું કે, જો લોકો દૂધ અને દૂધની બનાવટનાં ઉત્પાદન બંધ કરી દે તો દર વર્ષે આશરે ૮૦ લાખ લોકોને મરતાં અટકાવી શકાય છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.