નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા માતા વૈષ્ણોદેવીનાં દર્શન માટે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.NGTએ આદેશ આપતા કહ્યું છે કે હવે એક વખતમાં ફક્ત 50 હજાર લોકો જ ઉપર દર્શન કરવા જઈ શકશે, આ આદેશ સોમવારથી જ લાગુ થશે. હવે એક દિવસમાં 50 હજાર લોકો જ કરી શકશે વૈષ્ણોદેવીની યાત્રા NGTએ પ્રતિબંધ લગાવ્યો છે કે 50 હજારથી વધુ લોકો એક દિવસમાં જઈ શકશે નહિ જો ભક્તોની સંખ્યા વધી જશે તો તેમને અર્ધકુવારી કે પછી કટરામાં રોકવામાં આવશે।
માતા વૈષ્ણોદેવીનાં દરબારમાં 50 હજાર લોકોની ક્ષમતા છે અને વધુને વધુ લોકોને ત્યાં જવાની પરવાનગી આપવાથી હાનિકારક બની શકે છે આજ કારણે હવે તે અટકાવવામાં આવી છે.આ સાથેજ સતત વધી રહેલા પોલ્યુશન સામે પગલા લેવા તાકીદ કરવામાં આવી છે એ સાથેજ નવા બાંધકામને અટકાવી દેવામાં આવ્યું છે હવે ત્યાં વધુ બાંધ કામ કરાશે નહિ.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા એક વાર ફરી કડક પગલા લેવામાં આવ્યા છે આશા છે કે તેનાથી દુર્ઘટના ટાળી શકાશે તેમજ પ્રકૃતિના ખોળે આવેલા આ ધામની ગરિમા પણ જળવાશે।