નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ ભારતીય સ્પ્રિંટર મિલ્ખા સિંહ સાથે શુક્રવાર સાથે વાત કરીને તેમના સ્વાસ્થ્ય અંગે ખબર પૂછ્યા હતા. આ દરમિયાન તેમણે મિલ્ખા સિંહને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી. મિલ્ખા સિંહ કોવિડથી લડી રહ્યા છે. જે આઈસીયુમાં દાખલ કરાયા હતા.
એએનઆઈ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ ભારતીય ધાવક મિલ્ખા સિંહ સાથે વાત કરીને તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી લીધી હતી. પીએમ મોદીએ તેમને ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી છે. અને આશા વ્યક્ત કરી છે કે તેઓ ઝડપથી સ્વસ્થ થઈને પરત આવશે. ટોક્યો ઓલિમ્પિકમાં બાગ લેનારા એથલીટ્સને આશીર્વાદ અને પ્રેરિત કરશે.
મિલ્ખા સિંહને 30 મેના દિવસે તેમના પરિવારના અનુરોધ ઉપર સ્થિર હાલતમાં હોસ્પિટલમાંથી રજા આપી દીધી આપવામાં આવી હતી. પરંતુ ઓક્સીજન લેવલ ઘટ્યા બાદ તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોસ્ટ ગ્રેજ્યુએટ ઇસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના સત્તાવાર પ્રવક્તા પ્રો. અરુણ કુમારના જણાવ્યા પ્રમાણે પૂર્વ ભારતીય ધાવક મિલ્ખા સિંહને આજે પીજીઆઈએમઈઆરની કોવિડ હોસ્પિટલના આઈસીયુમાં ઓક્સીજનનું સ્તર ઘટવાના કારણે દાખલ કરવામાં આવ્યા છે. તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. હવે તેમની હાલત સ્થિતર છે.