નસવાડી તાલુકાની જંગલ વિસ્તારની હદમાં આવે છે. જેમાં જંગલ ખાતાના અત્રાશ રાઉન્ડ રેન્જમાં આવતા કડદા , અત્રાશ , સરબારા , ફેરકડા , જેવા ગામ નજીકના નર્મદા નદીના પાણી વધતા હજારોની સંખ્યામાં વૃક્ષ ડૂબી ગયા હતા. જે વૃક્ષ નર્મદાનું પાણી ઘટતા જ બહાર જોવા મળ્યા હતા .જે વૃક્ષની માપણી , નબરીગ નસવાડી તાલુકા જંગલ ખાતા ના સ્ટાફ દવારા કરવામાં આવી હતી ત્યાર બાદ નસવાડી જંગલ ખાતા ને ડૂબી ગયેલા વૃક્ષ કાપવાની મંજુરી મળતા નસવાડી જંગલ ખાતાનો સ્ટાફ હાલ નસવાડીના નર્મદા કાંઠાના વૃક્ષોની કાપણીમાં લાગી ગયું છે .જે વૃક્ષ હાલ એકદમ સુકાઈ ગયા છે. ડુંગર વિસ્તારના નર્મદાના કાંઠામાંં આવેલા જંગલ વિસ્તાર માંથી એક એક વૃક્ષનું કટીંગ કરી તેને મજૂરો દ્રારા જંગલ માંથી બહાર લાવવામાં આવે છે. જે જંગલના વૃક્ષ બહાર લાવવા માટે મજૂરો દોરડા વડે પોતાના ખભા પર વૃક્ષને મૂકે છે અને તેને કલાકોની ભારે જહેમત બાદ નર્મદા નદીમાં આવેલ બોટમાં મૂકે છે. જે બોટમાં 20 થી 25 કી.મી. નું અંતર કાપી કડદા ગામના નર્મદા નદીના કીનારે લાવવામાં આવે છે .અને ત્યાં હાલ કપાઈ ગયેલ વૃક્ષનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. 6200 જેટલા વૃક્ષ કાપવાની કામગીરી શરૂ કરાઇ છે .જેમાં અત્યાર સુધી 1000 જેટલા વૃક્ષનું કટીંગ કરાયું છે .નસવાડી રેન્જ ફોરેસ્ટનો સ્ટાફ સતત વૃક્ષની કાપણીનું ધ્યાન રાખી રહ્યું છે. હજુ 5000 જેટલા વૃક્ષનું કટીંગ કરવાનું હોય જેથી વધુ 20 દીવસ જેટલો સમય જાય તેમ જાણવા મળી રહ્યું છે. નાના મોટા તમામ વૃક્ષને નદી કીનારે લાવવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. છતાંય જંગલ ખાતાનો સ્ટાફ સતત કાર્યરત છે. હાલ નર્મદા નદીનું પાણી ખુબ જ ઓછું થવા લાગ્યું છે. જેને લઈ જંગલ ખાતા દ્રારા વૃક્ષ કાપવાની કામગીરી પણ ખૂબ ઝડપી બનાવાઈ છે.