કેન્દ્રની મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને હજ યાત્રા પર આપવામાં આવતી સબસિડીનો અંત કર્યો છે. આશરે દોઢ લાખ લોકો આ વર્ષે હજ યાત્રા પર જશે પરંતુ તેમને સબસિડીનો લાભ મળશે નહીં. વાસ્તવમાં, આ એવો નિર્ણય છે કે જેની માગ મુસ્લિમ સમુદાયમાંથી સમયાંતરે વધી રહી હતી.AIMM પ્રમુખ અસાદુદ્દીન ઓવૈસી જેવા નેતાઓ, કમલ ફારુકી વારંવાર હજ સબસિડીનો અંત લાવવાની હિમાયત કરતા હતા.
હકીકતમાં હજયાત્રીઓને સબસિડીનો સૌથી મોટો ભાગ હવાઇ મુસાફરી પર ખર્ચવામાં આવે છે. ભારત સરકારનું નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ભારતની હજ સમિતિ દ્વારા આ સબસિડી આપે છે.આ નાણાં હજ મુસાફરોની જગ્યાએ એર ઇન્ડિયાને આપવામાં આવે છે.
હજ યાત્રાળુઓના નામે આપવામાં આવેલી આ મુક્તિ માત્ર હજ યાત્રાળુઓ માટે જ ઉપલબ્ધ છે, જે ભારતના હજ સમિતિ (HCoI) સાથે રજિસ્ટ્રેશન કરીને હજ માટે રજીસ્ટર થઈ સાઉદી જાય છે.જો કે, ખાનગી ટુર ઓપરેટર્સ (PTOs) દ્વારા મુસાફરી કરતા યાત્રિકોને અા લાભ નહીં મળતો.નવી નીતિ હેઠળ, હજ સમિતિ અને 30% પેસેન્જર દ્વારા 70% પેસેન્જર ખાનગી ઓપરેટરો મારફતે હજ પર મુસાફરી કરી શકશે.
આગામી પાંચ વર્ષ માટે હજ નીતિ નક્કી કરવા માટે એક ઉચ્ચસ્તરીય સમિતિના સભ્ય કમલ ફારુકીએ જણાવ્યું હતું કે સરકારે હજ સબસિડી બંધ કરીને મુસ્લિમો માટે વધુ સારા પગલાં ઉઠાવ્યા છે.મુસ્લિમોની જગ્યાએ એર ઇન્ડિયાને હજ સબસિડીથી ફાયદો થતો હતો.તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે હજ સબસિડીનો અંત લાવવાના પગલાં લીધાં છે, તે જ રીતે, સરકાર અન્ય ધર્મોની યાત્રા માટે આપવામાં આવેલી સબસીડીનો અંત કરશે.દેશના મુસ્લિમો હવે હજને કોઇ પણ ફ્લાઇટથી લઇ જવા માટે સંપૂર્ણ રીતે ફ્રી છે અને એરપોર્ટ પર તેમની અનુકૂળતા અનુસાર હજયાત્રા પર જઈ શકશે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.