આવતી કાલે દેવઉઠી એકાદશી એટલેકે કારતક સુદ એકાદશીએ ભગવાન ચાર માસની લાંબી નિદ્રામાંથી જાગ્રત થાય છે અને ભગવાનને મૂળા, રિંગણ, ભાજીના ભોગ ધરાવાય છે તે સાથે જ તુલસી વિવાહ પણ કરવામાં આવે છે અને તે પછી જ લગ્નસરાનો પ્રારંભ થઈ જાય છે. સાથે સાથે દેવદિવાળીના પર્વની ઉજવણી પણ શરૂ થાય છે.
તુલસી વિવાહમાં વિષ્ણુ ભગવાનના તુલસીજી સાથે વિવાહ કરવામાં આવે છે. કારતક સુદ નોમથી તુલસી વ્રત કરનાર બારસના દિવસે ઉપવાસ તોડે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ષોડશોપચાર પૂજાનું અનેરું મહત્વ છે. આ દિવસે તુલસીમાતાને સૌભાગ્યવતીનો શણગાર ચડાવવામાં આવે છે. સંસારના તમામ સારા કાર્યોનો પ્રારંભ કરવામાં આવે છે.