મુંબઇઃ નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલના પહેલા દિવસે દેશની તમામ સરકારી અને ખાનગી બેન્કો બંધ હતી. બેંક બંધ થવાને કારણે ટ્રાંઝેક્શન માટે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન વધ્યું હતું. આ સમય દરમિયાન, ગ્રાહકોને NEFT, IMPS અને UPI દ્વારા નાણાં ટ્રાન્સફર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણી વખત ગ્રાહકોનું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ ગયું છે. જો તમારું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય અને ખાતામાંથી કાપવામાં આવેલા પૈસા નિયત સમયમાં પરત નહીં આવે, તો બેંક તમને દરરોજ 100 રૂપિયા વળતર આપશે.
તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2019 માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ નિષ્ફળ વ્યવહારને લઈને એક નવો પરિપત્ર બહાર પાડ્યો હતો. આ અંતર્ગત પૈસાની ઓટો રિવર્સલ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સમયગાળાની અંતર્ગત, જો વ્યવહારમાં કોઈ સમાધાન અથવા રિવર્સલ ન થાય તો બેંકે ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે. પરિપત્ર મુજબ, સમયમર્યાદા પૂરી થયા પછી, દરરોજ 100 રૂપિયાના દરે વળતર આપવું પડશે.
સર્કયૂલર અનુસાર જો UPI ટ્રાંઝેક્શન ફેલ થાય અને ગ્રાહકના ખાતામાંથી પૈસા કપાય જાય છે, પરંતુ બેનિફિશયરી ખાતામાં પૈસા ક્રેડિટ થતા નથી તો ઓટો -રિવર્સલ ટ્રાંઝેક્શનની તારીખથી T+1 દિવસમાં પુરુ થઈ જવુ જોઈએ.
જો તમારુ UPI ટ્રાંઝેક્શન ફેલ જાય તો પૈસા પરત નથી આવતા તો તમે તેની ફરીયાદ સર્વિસ પ્રોવાઈડરથી કરી શકો છો. તમારે રેજ ડિસ્પ્યૂટ પર જવુ પડશે. રેજ ડિસ્પ્યૂટ પર પોતાની ફરીયાદ નોંધાવો. પ્રોવાઈડર તમારી ફરિયાદને સાચી ઠેરવવા પર પૈસા પરત કરશે. જો ફરિયાદ કરવા છતા બેંકમાંથી કોઈ રિસ્પોન્સ નથી મળતો તો તમે RBIના ડીઝીટલ ટ્રાંઝેક્શન, 2019ના ઓમ્બડ્સમૈન સ્કીમ હેઠળ ફરિયાદ કરી શકો છો.
5 લાખ કરોડ રૂપિયાનો આકંડો પાર
UPI ટ્રાંઝેક્શનમાં દર મહિને 19 ટકાનો ગ્રોથ રહ્યો અને FY21માં 5 લાખ કરોડ રૂપિયાની વૈલ્યૂના ટ્રાંઝેક્શન થયા. ગત વર્ષે દેશમાં QR- આધારિત પેમેંટ વધવા પર UPI વોલ્યૂમમાં વધારો થયો છે.