ગાંધીનગર — ગુજરાતમાં કોરોના સંક્રમણના કારણે ઓછામાં ઓછા પાંચ લાખ લોકોની નોકરી પર અસર પડી છે ત્યારે કેન્દ્ર સરકારના દાવા પ્રમાણે ગુજરાતમાં બેકારી દર માત્ર 3.4 ટકા છે. જો કે કેન્દ્રનો આ દાવો કોરોના સંક્રમણ પહેલાના સમયનો છે.
પીરીયોડિક લેબર ફોર્સ સર્વે ડૉકયુમેન્ટમાં આ વિગતો સામે આવી છે. શહેરી ક્ષેત્રમાં 15 થી 59 વર્ષની વય જૂથમાં ગુજરાતે દેશમાં સૌથી ઓછા 3.4 ટકાના બેરોજગારી દર સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે. જો કે કોરોના પછીના સર્વેમાં સમગ્ર દેશની સાથે ગુજરાતનો બેકારી દર વધ્યો છે.
ગુજરાત ગયા વર્ષે 4.5 ટકા સાથે બેકારી દરમાં અગ્રસેર હતું જે દરમાં ઘટાડો થયો હોવાનો દાવો રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. હકીકતમાં કોરોના સંક્રમણ પછીના આ સમયમાં સર્વે કરવામાં આવે તો ગુજરાતમાં બેકારી દર તીવ્ર ગતિએ વધતો જોવા મળી શકે તેમ છે.
આ સર્વે 2020ના શરૂઆતના મહિનામાં કરવામાં આવ્યો છે. ગુજરાતની તુલનાએ કર્ણાટકમાં 5.3 ટકા, મહારાષ્ટ્રમાં 6.6 ટકા, તામિલનાડુમાં 7.2 ટકા, આંધ્રપ્રદેશમાં 7.8 ટકા, હરિયાણામાં 9.0 ટકા, કેરેલામાં 11.0 ટકા તથા તેલંગાણામાં 11.5 ટકા દર જોવા મળ્યો છે.
આ સર્વે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેટીકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પલીમેન્ટેશનના નેશનલ સ્ટેટેટીકલ ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવે છે. હવે આ સંસ્થા દ્વારા કોરોના પછીના સમયનો સર્વે કરવામાં આવે તો સમગ્ર દેશ સાથે ગુજરાતનો બેકારી દર વિક્રમ ગતિએ વધતો હોવાનું સામે આવી શકે છે, કારણ કે કોરોનાના કારણે સંખ્યાબંધ લોકોએ નોકરીઓ ગુમાવી છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.