અાજે વસંત પંચમીના શુભ અવસરે માતા સરસ્વતીની પૂજા અર્ચના કરવાથી થશે ભાગ્યોદય.મહાસુદ પાંચમ અેટલે કે વસંત પંચમી અાજે મા સરસ્વતીની પૂજા અર્ચના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. મા સરસ્વતી વિદ્યાની દેવી છે. માના અાશિર્વાદ મેળવવાથી વિદ્યાની પ્રાપ્તી થાય છે.
અા વર્ષે વસંત પંચમી પર વિશેષ યોગનું નિર્માણ થયેલ છે. માઘ નવરાત્રી હોવાથી માતાની સાધના પરમ ફળદાયક છે. આ દિવસે માતા દેવી સરસ્વતીનો અાવિર્ભાવ થયો હતા. આ દીવસને વાઘેશ્વરી જયંતિ અને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે કોઈ પણ કાર્ય કરવું ખૂબ લાભદાયક છે. તેથી, આ દિવસે ગૃહ પ્રવેશ, વાહન ખરીદવા, મકાનનો પાયો નાંખવો, નવા વ્યવસાય શરૂ કરવા જેવા કામ કરવામાં આવે છે.
અા દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવામાં અાવે છે, માતાને પીળા ધાન્યનો પ્રસાદ ચડાવાય છે. બપોરે 12 કલાકે 17 મીનિટે વિજય મુહૂર્ત હોવાથી વિશેષ પુજન અર્ચન થાય છે. તેનું ફળ ખુબ જ લાભદાયક છે.