પ્રખથ્યાત સિંગક દર્શન રાવલ પર થોડા દિવસો પહેલા યૌન શોષણના આરોપો લાગ્યા હતા, મી ટુ ના અભિયાનમાં જોડાયેલી કેટલીક મહિલાઓએ તેના પર આરોપો લગાવ્યા હતા, જેને કારણે હવે ઉદેપુરમાં દિવાળી પર યોજાનારી એક મ્યુઝિક ઈવેન્ટમાં કૈલાશ ખેરવે હાંકી કાઢવામાં આવ્યા છે.
ઉદેપુુરમાં 30 ઓક્ટોબરે દિવાળીના કાર્યક્રમ અંતર્ગત સંગીત સંધ્યા સિંગર નાઈટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં કૈલાશ ખેરને સિંગર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પણ જ્યારે તેમના પર આરોપો લાગ્યા ત્યારે આયોજકોએ તેમને ઈવેન્ટમાંથી હાંકી કાઢ્યા હતા.
મીડિયા સાથેની વાતચીતમાં ઉદેપુરના મેયર ચંદ્ર સિંહ કોઠારીએ કહ્યું કે, આ સરકારી કાર્યક્રમ છે, અમે નથી ઇચ્છતા કે કોઇપણ પ્રકારનો વિવાદ થાય. કૈલાશ ખેર પર લાગેલા આરોપોને સાંભળની અમે તેમને ઇવેન્ટમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે, હવે તેમની જગ્યાએ સિંગર દર્શન રાવલ હાજર રહેશે.