મુંબઈ : લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થતાં, એવા અહેવાલો આવ્યા હતા કે હવે ગ્રીન અને ઓરેન્જ ઝોનના પસંદગીના વિસ્તારોમાં દારૂની દુકાનો ખુલી જશે. દિગ્ગજ ગીતકાર લેખક જાવેદ અખ્તરે આ અંગે પ્રતિક્રિયા આપી છે. કોરોના સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ ન આવે તે પહેલાં જ દારૂની દુકાનો ખોલવા દેવા અંગે જાવેદે કડક વલણ દાખવ્યું હતું, અને હવે પછી રવિના ટંડને પણ આ અંગેની પ્રતિક્રિયા આપી છે.
રવિના ટંડને દારૂના અડ્ડા અને પાન – બીડીની દુકાનો ખોલવાના સરકારના નિર્ણય અંગે કડક પ્રતિક્રિયા આપી છે. રવિના ટંડને દારૂની દુકાનો ખોલવાની મંજૂરી અંગેની ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા કરેલા ટ્વીટને રીટ્વીટ કર્યું છે. રવિનાએ રિટ્વીટમાં લખ્યું, “પાન / ગુટખાની દુકાનો માટે ખુશી મનાવો. ઉત્તમ, થૂંકવાનું ફરી શરૂ કરવામાં આવશે. અમેઝિંગ.” રવિનાના ટ્વિટ પર એક યુઝરે લખ્યું, “નશામાં લોકો ઉલટી પણ કરશે, શું તે યોગ્ય હશે?”
નોંધનીય છે કે, જાવેદ અખ્તરે દારૂની દુકાનો ખોલવા અંગે ગુસ્સો વ્યક્ત કર્યો હતો, “લોકડાઉન વચ્ચે દારૂની દુકાનો ખોલવાનું પરિણામ વિનાશકારક રહેશે તેમ જાવેદે જણાવ્યું હતું. સર્વે અનુસાર આજકાલ ઘરેલુ હિંસામાં ભારે વધારો થયો છે. મહિલાઓ અને બાળકો માટે હાલનો સમય વધુ ભયંકર બનાવશે. “