મુંબઈ : ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડે રાષ્ટ્રના પિતા મહાત્મા ગાંધી વિરુદ્ધ વિવાદોમાં છે. અનંત હેગડે મહાત્મા ગાંધીની સ્વતંત્રતા સંગ્રામને નાટક ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે, ગાંધીજીએ જે આઝાદીની લડત ચલાવી હતી તે વાસ્તવિક આંદોલન નહીં પણ નાટક હતું. ભાજપ નેતાના આ નિવેદનથી રાજકીય કોરિડોરમાં હંગામો થયો છે.
રાજકીય પક્ષોની પ્રતિક્રિયા વચ્ચે અભિનેત્રી સોનમ કપૂરે પણ અનંતકુમાર હેગડેના વિવાદિત નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. સોનમ કપૂરે પોતાના ટ્વિટમાં વધારે લખ્યું નથી. પરંતુ અભિનેત્રીના ટ્વિટમાં લખેલા બે શબ્દો ઘણું બધું ન બોલીને પણ બોલે છે. સોનમે લખ્યું- હે રામ!
Hey Ram! https://t.co/mLW9bNJpa9
— Sonam K Ahuja (@sonamakapoor) February 3, 2020