Sunidhi Chauhan : 22મી એપ્રિલ-2025ના રોજ જમ્મૂ-કાશ્મીરના પહેલગામમાં ગોઝારી આતંકી ઘટના બની હતી. આતંકીઓ અંધાધૂંધ ફાયરીંગ કરીને 26 નિર્દોષ ટૂરિસ્ટોનાં જીવ હણી લીધા હતા. આ ઘટના બાદ ભારતે 6-7મીએ મેનાં રોજ પાકિસ્તાનના આતંકીઓ સામે ઓપરેશન સિંદુર કરીને આતંકી અડ્ડાઓનાં સફાયો કરી નાંખ્યો હતો. આ દરમિયાનમાં અમેરિકામાં બેસીને બોલિવૂડ દ્વારા અઢળક નાણા કમાવતા અમેરિકા સ્થિત પાકિસ્તાની પ્રમોટર્સ દ્વારા આયોજીત કાર્યક્રમોમાં ભારતીય સિંગર સુનિધિ ચૌહાણનું કોન્સર્ટ યોજવામાં આવ્યું હતું. આ કોન્સર્ટ આતંકી હુમલા અને ઓપરેશન સિંદુરની વચ્ચે યોજવામાં આવ્યું હોવાની આધારપાત્ર માહિતી મળી રહી છે. આ કોન્સર્ટના આયોજન પાછળ પાકિસ્તાની પ્રમોટર્સ હોવાની વાત બહાર આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે.
સોશિયલ મીડિયા અને અન્ય સ્ત્રોતા દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્રીજી મેનાં રોજ સુનિધિ ચૌહાણની લાઈવ કોન્સર્ટ-ઈવેન્ટ અમેરિકાના ડલ્લાસના કર્ટીસ કલવેલ સેન્ટર ખાતે યોજવામાં આવી હતી. આ કોન્સર્ટમાં સુનિધિ ચૌહાણે પર્ફોમન્સ પણ કર્યું હતું. ખાસ કરી ટૂંકા કપડાને લઈ ભારે હંગામો મચી જવા પામ્યો હતો. ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહનના નામે ટૂંકા વસ્ત્રો દ્વારા પર્ફોમન્સ કરનારી સિંગર સુનિધિ ચૌહાણ સામે લોકરોષ ભભૂકી રહ્યો છે.
એન્ડી લાલાની કોણ છે?
વિગતો મુજબ આ ઈવેન્ટના મુખ્ય પ્રમોટર તરીકે એન્ડી લાલાની છે અને એન્ડી લાલાની પણ પાકિસ્તાની હોવાનું કહેવાય છે. આ ઉપરાંત રફીક, નૈનુ, હરી, રાજ અને નસીર સિદ્દીકીનું નામ પણ પ્રમોટર્સ તરીકે લેવામાં આવી રહ્યું છે. હવે સિદ્દીકી ગ્રુપ સીધી રીતે પાકિસ્તાન સાથેનું કનેક્શન ધરાવે છે અને આ અગાઉ જ્યારે બાલાકોટમાં હુમલો કરવામા આવ્યો ત્યારે સિદ્દીકી ગ્રુપના રેહાન સિદ્દીકીની અમેરિકામાં કોઈ પણ ઈવેન્ટમાં ભારતીય કલાકારો, સિંગંર અને હીરો-હીરોઈનોને ભાગ ન લેવા માટે ભારત સરકારે નિર્દેશ આપ્યા હતા.
રાકેશ કૌશલ પરનો પ્રતિબંધ હટતા પાકિસ્તાની પ્રમોટર્સને જલસા
વિદેશમાં થતાં બોલિવૂડ કલાકારોના શોના આયોજનમાં રાકેશ કૌશલ અને રેહાન સિદ્દીકી મોટું નામ છે. ભૂતકાળમાં ઈન્ટરનેશનલ પ્રમોટર રાકેશ કૌશલને પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. રેહાન સિદ્દીકી સાથે રાકેશ કૌશલ પર મૂકાયેલા બેનને હટાવી લેવામાં આવ્યો છે અને આ જ પ્રમોટરોએ સુનિધિ ચૌહાણનાં શોનું આયોજન કર્યું અને પાકિસ્તાની પ્રમોટરોને શો આપવાનું શરુ કરવામાં આવ્યું. મહત્વનો સવાલ છે કે રાકેશ કૌશલ અને રેહાન સિદ્દીકી પરથી પ્રતિબંધ કેવી રીતે હટાવી લેવામાં આવ્યો, બેન હટાવી લેવા પાછળ કોની ભૂિકા રહી હતી તે પણ એક રીતે તપાસનો વિષય બની રહે છે.
મનોરંજન ઉદ્યોગ માટે ભારત એક મોટું માર્કેટ છે. અમેરિકામાં અમેરિકન ભારતીયો માટે ભારતીય કલાકારો હંમેશ આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે અને દર વર્ષે અમેરિકામાં ભારતીય કલાકારોની અનેક ઈવેન્ટ યોજવામાં આવે છે. આ ઈવેન્ટમાં મહત્વની ભૂમિકા રેહાન સિદ્દીકી, એન્ડી લાલાની સહિત અન્ય લોકોની હોય છે.
સવાલનો સવાલ એ થાય છે કે ભારત સરકારે પહેલગામ હૂમંલા બાદ ભારતીય કલાકારો માટે નિર્દેશિકા જાહેર કરી હતી અને ભારતે પાકિસ્તાન સાથેના વ્યાપારિક સહિત અન્ય આર્થિક વ્યવવહારો પર અનિશ્ચિત મુદ્દત માટે પ્રતિબંધ જાહેર કર્યો હોય તેવા સંજોગામાં સુનિધિ ચૌહાણે ડલ્લાસમાં કરેલી લાઈવ ઈવેન્ટ નિર્લજ્જતાની ચાડી ખાય છે.
રેહાન સિદ્દીકીનો અમેરિકામાં ઈવેન્ટનો મસમોટો બિઝનેસ
રેહાન સિદ્દીકી યુનાઇટેડ સ્ટેટ્સમાં દક્ષિણ એશિયાઈ મનોરંજન ઉદ્યોગમાં એક અગ્રણી વ્યક્તિ છે, જે બોલીવુડ સેલિબ્રિટીઓ સાથે કાર્યક્રમો અને કોન્સર્ટનું આયોજન કરવા માટે જાણીતો છે.
હ્યુસ્ટન સ્થિત પાકિસ્તાની મૂળના પ્રમોટર રેહાન સિદ્દીકી સાથે સહયોગ કરવાના સમાચાર સામે આવ્યા બાદ પ્રખ્યાત બોલિવુડ સિંગર સુનિધિ ચૌહાણને આકરી ટીકાનો સામનો કરવાનો વારો આવ્યો છે.રેહાન સિદ્દીકી ભારતીય એજન્સીઓના રડાર પર છે અને ભારત સરકાર દ્વારા તેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો. આ વિવાદે ટીકાઓનો દોર શરૂ કર્યો છે,
રેહાન સિદ્ધિ યુનાઇટેડ સ્ટેટ્સમાં દક્ષિણ એશિયાઈ મનોરંજન ઉદ્યોગમાં એક અગ્રણી વ્યક્તિ છે, જે બોલિવૂડ સેલિબ્રિટીઓ સાથે કોન્સર્ટ અને કોન્સર્ટનું આયોજન કરવા માટે જાણીતી છે. જોકે, પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથેના તેના સંબંધોના આરોપોથી સિદ્દકી હવે વિવાદાસ્પદ વ્યક્તિ બની ગયો છે.
2020 માં, તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ જાહેરમાં સિદ્દીકીને બ્લેકલિસ્ટ કરવાની જાહેરાત કરી હતી, જેમાં બોલિવૂડ સેલિબ્રિટીઓને તેની સાથે જોડાવા સામે ચેતવણી આપી હતી. ભારત સરકારનો સિદ્દીકીને બ્લેકલિસ્ટમાં સામેલ કરવાનો નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા અંગેની ચિંતાઓ અને ભારત વિરોધી તત્વો સાથેના તેના કથિત સંબંધો પર આધારિત હતો. આમ છતાં, સિદ્દીકીએ મનોરંજન ક્ષેત્રમાં કામ કરવાનું ચાલુ રાખ્યું છે, જેના કારણે નેક્સસ લિસ્ટના અમલીકરણ અને બોલિવૂડ સેલિબ્રિટીઓ વચ્ચેના કનેક્શન અંગે જાગૃતિ અંગે પ્રશ્નો ઉભા થાય છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યૂઝર્સ અને નેટીઝન્સના રિએક્શનથી ઉભરાઈ રહ્યું છે. અત્રે યાદ રહે કે 2020માં માધુરી દિક્ષિતે રેહાન સિદ્દીકીના શોમાં ભાગ લીધો અને આ અભિનેત્રી વિવાદમાં ભેરવાઈ ગઈ હતી. હવે સુનિધિ ચોહાણના મામલે પણ ભારે વિવાદ ઉભો થયો છે અને આવનાર દિવસોમાં આ વિવાદ કેવો વળાંક લે છે એ જોવાનું રહે છે.