મિત્રો, એવું જરૂરી નથી કે તમને ધૂળ-માટીની જ કે, પછી કોઈ વિશેષ શાકભાજી, ફળ કે ઘઉં માંથી બનેલી વસ્તુથી જ એલર્જી હોય. જો તમે આલ્કોહોલનું સેવન કરતા હોય તેઓ તમને તેનાથી પણ એલર્જી થઈ શકે છે. અને તે ઘણી વધુ ખતરનાક હોય છે. મોટા ભાગે લોકો તેને ધ્યાન બહાર કરી દેતા હોય છે, અને કોઈ મિત્રના કહેવાથી તરત દારુ પીવા માટે તૈયાર થઇ જતા હોય છે. જે નુકશાનકારક સાબિત થાય છે. જણાવી દઈએ કે દારૂ પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. એનાથી દુર જ રહો.
આજે અમે તમને જણાવીશું કે 9 એવા સંકેત છે જે તમને જણાવે છે કે, તમારે દારૂ પીવાનું બંધ કરવાની જરૂર છે. આવો એના વિષે જાણીએ.
ઉલટી-ઉબકા આવવા : સામાન્ય રીતે એવી જોવા મળે છે કે, દારૂ વગેરે પીવા વાળા મોટાભાગના લોકો ઉલટી કરે છે. પરંતુ તમને દરેક વખતે આવું થાય છે તો તેનો અર્થ એ છે કે, તમે દારુને સહન નથી કરી શકતા. દારુ પીધા પછી શ્વાસનળી, આંતરડા અને પેટમાં બળતરા થાય છે જેનાથી ઉબકા આવવા લાગે છે. તો સમય રહેતા એનું સેવન બંધ કરી દો.
ત્વચા ગરમ થવી અને ખંજવાળ આવવી : જણાવી દઈએ કે, દારુ પીધા પછી માણસના શરીરમાં એએલડીએચ 2 ઘટી જાય છે, એને લીધે ત્વચા ગરમ થઇ જાય છે અને પછી ખંજવાળ આવવા લાગે છે. જો આવું થાય તો તેનો અર્થ એ છે કે, આલ્કોહોલમાં રહેલા હિસ્ટામીન અને બીજા કેમિકલ તમારી ત્વચા ઉપર એલર્જી ઉભી કરે છે, જેનાથી ત્વચામાં ખંજવાળ થવા લાગે છે. જે ખરાબ સંકેત છે.
ચહેરો લાલ પડવો : એ સિવાય દારૂ પીધા પછી તમારા ચહેરાનું લાલ થવું પણ એ વાતનો સંકેત છે કે આલ્કોહોલ તમને માફક નથી આવતું. જયારે આલ્કોહોલમાં રહેલા એસીટીલ્ડીહાઇડને સંપૂર્ણ રીતે તોડવામાં તમારું શરીર સક્ષમ નથી હોતું, ત્યારે એના લીધે તમારો ચહેરો લાલ પડી જાય છે અને ધીમે ધીમે તે આખા શરીર ઉપર પણ ફેલાવા લાગે છે. તેનાથી તમારું બ્લડ પ્રેશર વધવાની શક્યતા વધુ રહે છે.
સતત ઉલટી થવી : જો તમે દારૂ પીધા પછી ઉલટી કરવા માટે તરત બાથરૂમમાં ભાગો છો, તો એવામાં એ વાતની વધુ શક્યતા છે કે, આલ્કોહોલને તમે સહન નથી કરી શકતા. ક્યારે ક્યારે વધુ દારુ પીવાને કારણે પણ આપણા શરીરની ક્રિયા ખરાબ થઇ જાય છે જેનાથી ઉલટી થવા લાગે છે.
નાકમાંથી પાણી પડવું : જણાવી દઈએ કે, દારુ પીધા બાદ નાકમાંથી પાણી પડવું એ વાતનો સંકેત છે, કે આલ્કોહોલ તમારા શરીરને માફક નથી આવતું. આલ્કોહોલના સેવનથી નાકના સાઈનસ કેવીટીમાં સોજો આવી જાય છે, જેને કારણે નાકમાં લોહી જામી જાય છે. કેફી પીણામાં વધુ પ્રમાણમાં હીસ્ટોમીન મળી આવે છે, જેના કારણે આવું થાય છે. એન જો તમારું શરીર તેને સહન નથી કરી શકતું, તો તમારા નાકમાંથી તરત પાણી પડવાનું શરુ થઇ જાય છે.
અસ્થમા વધી શકે છે : જાણકારી માટે જણાવી દઈએ કે, આલ્કોહોલના સેવન પછી શ્વાસ સંબંધી બીમારીઓ હંમેશા વધી જાય છે. તેનો અર્થ એ છે કે, જો તમે અસ્થમાના દર્દી છો તો દારૂ પીધા પછી અસ્થમાનો હુમલો તેજ થઇ શકે છે. એટલા માટે સારું એ જ છે કે, તમે તમારા આરોગ્યનું ધ્યાન રાખો અને શ્વાસ સંબંધી તકલીફથી દુર રહેવા માટે દારુનું સેવન ન કરો.
બ્લડ પ્રેશર ઓછું થવું : દારૂ પીધા પછી તમારું લોહીનું દબાણ પણ ઘટી શકે છે. એના લીધે તમને ચક્કર આવવા, આત્મકેન્દ્રિત થવામાં તકલીફ, થાક લાગવો, શ્વાસ ફુલાઈ જવો વગેરે તકલીફ થઈ શકે છે. તો દારૂ પીધા પછી તમને આ પ્રકારની કોઈ તકલીફ થાય છે, તો તરત જ ડોક્ટર પાસે જાવ. જેથી સમયસર તમને પોતાને વધુ બીમાર થવાથી બચાવી શકો. તે ઉપરાંત જો તમને દારુ માફક નથી આવતો તો તમે કોફી કે કોઈ બીજા મીઠા પીવાના પદાર્થનું સેવન કરો.
હ્રદયની ગતી ઝડપી થવી : આલ્કોહોલથી એલર્જીને કારણે એનું સેવન કર્યા પછી તમારા હદયની ગતિ પણ વધી શકે છે. એટલા માટે તેને હળવાશથી ન લેવું જોઈએ. કેમ કે ક્યારે ક્યારે તે આરોગ્ય માટે ગંભીર કારણ બની શકે છે. જો તમને દારૂ પીધા પછી એવી સમસ્યા આવે તો તરત ડોક્ટર પાસે જાવ.
ડાયરિયા : એ સિવાય દારુ પીધા પછી શરીરમાં ગડબડ થવી કે ડાયરિયા થવો તમને એ વાતનો સંકેત આપે છે કે, દારૂ તમને માફક નથી આવી રહ્યો. ક્યારે ક્યારે સતત ડાયરિયા થાય છે અને જલ્દી સાજા નથી થતા, તો તેનો અર્થ છે કે તમે દારુને જરા પણ સહન નથી કરી શકતા.દારૂ