નેશન ફર્સ્ટ ફાઉન્ડેશનના સહયોગથી ઇન્ડીયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ ગાંધીનગર દ્વારા ઘેર ઘેર ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ ઉપક્રમે ગાંધીનગર શહેર તથા તાલુકામાં રાષ્ટ્રધ્વજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. લોકોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય એવા ભગીરથ પ્રયાસનાં ભાગરૂપે દેશના ૭૧મા સ્વતંત્રતા દિન નિમિત્તે લોકો પોતાના ઘર, વ્યવસાય, ધંધા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવે તેવું આયોજન કરવામાં આવ્યું. ગત વર્ષે ૨૦ ગામ તથા શહેર તથા મુંબઈમાં કુલ મળીને ૫૦૦૦ ધ્વજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકો તરફથી ખુબ સરસ પ્રતિભાવ મળ્યો હતો. લોકો ધર્મ-જાત- પક્ષાપક્ષીને ભૂલીને રાષ્ટ્રવંદનાના આ કાર્યક્રમને ખુબ સફળ બનાવ્યો.
આ વર્ષે ઇન્ડીયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ ગાંધીનગરએ ઘેર ઘેર ધ્વજવંદન; કાર્યક્રમ માટે ૧૫૦ રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યું હતું. માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલને રાષ્ટ્રધ્વજ અર્પણ કરીને આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. સરકારી વસાહતો, પત્રકારો, ગાંધીનગરના લારી-ગલ્લાવાળાને અને ખાનગી સોસાયટીઓમાં ઘ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.વિતરણની સાથે સાથે ધ્વજનું માન-સન્માન જળવાય તે માટે પણ ખાસ કેહવામાં આવ્યું હતું અને ધ્યાનમાં રાખવાની બાબતોની માહિતી આપેલ હતું. આ કાર્યક્રમમાં ખાસ યોગદાન ગાંધીનગરના ડેપ્યુટી મેયર શ્રી દેવેન્દ્ર ચાવડાનું રહ્યું હતું. ઇન્ડીયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ ગાંધીનગરનાં પ્રમુખશ્રી કુમ્પલબેન દવે, ઉપપ્રમુખશ્રી ઉદય પાંભર, મંત્રીશ્રી શિલ્પાબેન દેસાઈ, જયશ્રીબેન સોની, રશ્મિબેન ગોંડલિયા તથા ચંદ્રીકાબેન પરમારએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખુબજ મહત્વનોફાળો આપ્યો છે.