આજે સવારમાં કલોલમાં ભયાનક અકસ્માત થયો છે, અંબિકા બસ સ્ટેન્ડ નજીક લક્ઝરી ST બસ પાછળ ઘૂસી જતા બસની રાહ જોઈને ઉભેલા મુસાફરો ઉપર બસના તોતિંગ ટાયર ફળી વળતા 5 મુસાફરોના મોત થયા હતા. જ્યારે 7 મુસાફરોને ઈજા પહોંચી હતી.
બનાવની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
– મૃતકોમાં નીચે મુજબના મુસાફરોની ઓળખ થઈ છે.
–શારદાબેન રોહિતભાઈ જાગરીયા 50 વર્ષ, ગોપાલ નગરના છાપરા પંચવટી કલોલ
–બળવંતજી કાળાજી ઠાકોર 45 વર્ષ, પિયજ
–દિલીપસીહ એમ વિહોલ 48 વર્ષ, ઇસંડ પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ હતા
–પાર્થ ગુણવંતભાઈ પટેલ, 22 વર્ષ, એલ.૩ દ્વારકેશ રો હાઉસ પંચવટી વિસ્તાર કલોલ
આ ઘટનાને પગલે નાના એવા ટાઉનમાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.