રાજ્ય માં કોરોના ના કેસ ઘટી જતાં જ હવે ફરી ચુંટણીઓ યોજવા અંગે મથામણ શરૂ થઈ ગઈ છે જેમાં ગાંધીનગર માં 78 ટકા જેટલુ કોરોના વેક્સિનેશન થયું હોવાનો દાવો આગળ કરી મનપાની ચૂંટણી યોજાઈ તેવી અટકળો તેજ બની છે.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મનપાનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયા બાદ કોરોના ની મહામારી શરૂ થતાં ચુંટણીઓ મુલત્વી રાખવામાં આવી છે અને મનપાનું સંચાલન હાલ કાર્યકારી વહીવટદાર કરી રહ્યા છે ત્યારે હવે કોરોના હળવો થતા મનપાની ચૂંટણી યોજાવા નિર્ણય લેવાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
મનપાની ચૂંટણી કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે બે મહિના બાદ સપ્ટેમ્બર મહિનામાં યોજાઈ તેવી અટકળો વહેતી થઈ છે.
Monday, April 29