અમદાવાદની શોભા એવા સાબરમતી રીવરફ્રન્ટ પર મોતના બનાવો એટલે કે, સ્યુસાઈડની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે છેલ્લા એક જ વર્ષમાં 184 લોકોએ પોતાનું જીવન સાબરમતી નદીમાં ઝંપલાવીને ટૂંકાવ્યું છે. તેમાં પણ મહિલાઓ અને પુરુષો કે જેઓ આત્મહત્યા કરી ચૂક્યા છે તેમાં પુરુષોની સંખ્યા વધુ છે. અત્યાર સુધી વર્ષ 2022થી 23માં 147 જેટલા પુરુષોએ સાબરમતી નદીમાં કૂદીને જીવન ટૂંકાવ્યું છે. સાબરમતી રીવરફ્રન્ટ પર કેટલાક લોકોને કૂદ્યા બાદ બચાવી લેવામાં આવે છે જેમાં કેટલાક પોલીસ કર્મીઓના કિસ્સાઓ પણ બચાવ્યાના સામે આવતા હોય છે ત્યારે કેટલાક સ્યુસાઈડ કરતા બચી નથી શકતા.
સાબરમતી રિવરફ્રન્ટ આપઘાતનું હોટસ્પોટ
એક વર્ષમાં જ 184 લોકોએ જીવન ટૂંકાવ્યું
ડીપ્રેશન અને મુશ્કેલીઓ લોકો ટૂંકાવે છે તેમનું જીવન
વર્ષ 2022-23 દરમિયાન કુલ 35 સ્ત્રીઓએ મોતને વહાલું કર્યું હતું
3 મહિનામાં 43 પુરુષોએ જીવન ટૂંકાવ્યું
147 પુરુષોએ નદીમાં પડતું મૂક્યું
અવાર નવાર એ સમાચાર સામે આવે જ છે કે, સાબરમતી નદીમાં કૂદીને કોઈને જીવ ટૂંકાવ્યો ત્યારે તેમાં આ આંકડાઓ પણ સામે આવ્યા હતા. જેટલા એક વર્ષમાં કોરોનાથી નહીં મૃત્યુ પામ્યા હોય તેટલા લોકો સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરતા મૃત્યુ પામ્યા છે.
એક તરફ રીવરફ્રન્ટની શોભા વળખાણ છે ત્યારે નદીના કીનારે લોકોને આવીને બેસવું ગમે છે ત્યાં કોઈ પોતાનું જીવન આરોગ્ય સામે ઝઝૂમતા તો કોઈક પ્રેમમાં નિષ્ફળ થતા તો કોઈ પારિવારીક કંકાસથી કંટાળીને અન્ય કોઈ કારણથી જીવન ટૂંકાવે છે.
બપોરના સમયે પણ જ્યારે નદીનો પટ શાંત હોય ત્યારે રોષે ભરાયેલા લોકોએ જીવન ટુંકાવવા નદીમાં વધુ ઝંપલાવે છે. જેમાં પણ અગાઉ આયશા નામની છોકરીનો વીડિયો સ્યુસાઈડ પહેલા વાયરલ થયો હતો. જે મામલે કાર્યવાહી પણ થઈ હતી. જેથી અંદાજ લગાવી શકાય છે લોકો કયા પ્રકારની મુશ્કેલીઓથી ગુજરતા હોય છે.
આપવામાં આવે છે.