કોઠારીયા-વાડલા ગામ વચ્ચેની પીવાની પાણીની લાઈન પસાર થાય છે. આ લાઈન ખેડૂતોના ખેતરોની નજીક પણ આવેલી છે. ત્યારે વધુ પ્રેસરના કારણ લીકેજ થતા 4 વધુ ખેતરોમાં પાણી ઘૂસ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતુ. વઢવાણ તાલુકાના કોઠારીયા ગામના મોટા ભાગના લોકો ખેતમજુરી કરી રહ્યા છે. ત્યારે કોઠારીયા -વાડલા ગામ વચ્ચે પીવાના પાણીની લાઇન પસાર થયા છે. જેના થકી આ ગામના લોકોને પાણી પુરૂ પાડવામાં આવે છે.
….પરંતુ આ લાઈન પાણીના વધુ પ્રેસરના કારણે લીકેજ થઇ હોવાની વિગતો બહાર આવી હતી.કોઠારીયાથી વાડલા જવાના માર્ગ પર આવેલી પીવાના પાણીની લાઈન લીકેજ થતા કાનજીભાઈ રાજપૂત, બળદેવભાઈ પઢારીયા, જગાભાઈ કણઝરીયા સહિત અંદાજે 4 થી વધુ ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા. આ અંગે કાનજીભાઈ રાજપૂતે જણાવ્યું કે પાણી ભરાતા પાકને નુકસાન થવાની ભીતી ઉભી થઇ છે. આ નુકસાની માટે કોણ જવાબદાર ? આ પાણી લીકેજ અંગે પાણી પુરવઠા તંત્રને ખેડૂતોએ જાણ કરતા બનાવ સ્થળે દોડી આવી રિપેરીંગ કામ હાથ ધરતા વધુ ખેતરોમાં પાણી સાથે પાકને નુકસાન થતા અટકી ગયુ હતુ. બીજીતરફ જિલ્લામાં વારંવાર પાણીની લાઇનો, કેનાલો લીકેજ તેમજ તૂટવાના બનાવથી ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળે છે. ત્યારે ખેડૂતોના ખેતરોની નજીક રહેલી લાઈનો તેમજ કેનાલોનું પણ સમયાંતરે તપાસ સાથે કામગીરી કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી હતી.