ડીસા હથિલા હનુમાનજી મંદિરની ગૌશાળાના દબાણ દૂર કર્યા બાદ પાલિકા દ્વારા ગાયોની વ્યવસ્થા ઉભી ન કરાતા જીવદયાપ્રેમીઓ દ્વારા આજે અન્ય ગૌશાળામાં ગાયોને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ..
ડીસાના ધારાસભ્ય અને ડીસા નગરપાલિકા તરફથી ડીસામાં દબાણ દૂર કરવાની ઐતિહાસિક કામગીરી હિન્દુઓની આસથા સાથે ખિલવાડ કરી ગાયોની સાર સંભાળ કરતાં દબાણ તોડી પડાયા જ્યારે બિલ્ડરો અને મોટી લાગવગ ધરાવતા ના દબાણો તોડવામાં અનદેખી
ખરેખર જે દબાણ ડીસામાં છે તે તોડવામાં નગરપાલિકા રાજકીય દબાણ હેઠળ જ્યારે ગૌવંશની સાર સંભાળ કરતાં દબાણ તોડતા હિન્દુઓની આસ્થા ઉપર ચોટ
ડીસાના હરિઓમ શાળાની પાછળ આવેલી આથેલા હનુમાનજીની ગૌશાળામાં સૌથી વધુ ગાયો વસવાટ કરતી હતી જે ગાયો લંમ્પી વાયરસથી પીડાતી ગાયોને રાખવામાં આવી હતી અને ગૌપ્રેમી મક્ષી ભાઈ રબારી દ્વારા તમામ ગાયોને સારવાર આપવામાં આવી હતી અને નગરપાલિકા દ્વારા સ્વ. નરસિંહદાસજી મહારાજને આ જગ્યા ઠરાવ કરીને આપેલી હોય વર્ષોથી આ જગ્યા ઉપર હથિલા હનુમાનનું મંદિર અને શંકર ભગવાનનું મંદિર બનાવી સેવાકીય કામગીરી થતી હતી પરંતુ થોડા સમય પહેલા ડીસાના પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આથેલા હનુમાનજીની મંદિરે દર્શન કર્યા બાદ અચાનક નગરપાલિકાને હથિલા હનુમાનજીની ગૌશાળાની જગ્યા ખાલી કરવા માટેની આદેશ કરતા નગરપાલિકા દ્વારા હથિલા હનુમાનજીની ગૌશાળાના સંચાલન કરતા મક્ષીભાઈ દેસાઈને નોટીસ આપીને સાત દિવસમાં જગ્યા ખાલી કવાલી જણાવ્યું હતું
જે બાદ મક્ષીભાઈ રબારી સહિત ગૌપ્રેમીઓ દ્વારા નગરપાલિકામાં નવા ચીફ ઓફિસર પંકજ બારોટને આવેદનપત્ર આપી અને ગૌશાળા નું દબાણ દૂર કરતા પહેલા ગૌશાળામાં રહેલી તમામ ગાયોની અન્ય ગૌશાળામાં વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની ગાયો પર દયા રાખ્યા વગર તાત્કાલિક અસરથી ગૌશાળાનું દબાણ દૂર કરવા માટે જીસીબી મશીન સાથે પહોંચી ગયા હતા અને સૌથી પહેલા મહત્વનું કામ એટલે કે ગૌશાળાની ગાયો માટે પીવાનો પાણી મળી રહે તે અવાડા અને તોડી પાડવામાં આવ્યો હતો બાદમાં પાણીનું કનેકશન પણ આપી દેવામાં આવ્યો હતો અને લાઈટ કલેક્શન કાપી સાથે ગૌશાળામાં રેલી તમામ ગાયોને રોડ પર ખુલ્લી મૂકી દેવામાં આવતા ગૌરક્ષકોમાં ભારે આખો સવાયો હતો ત્યારે દબાણ દૂર કર્યા બાદ પાંચ દિવસ સમય વિતવા છતાં નગરપાલિકા દ્વારા ગૌશાળામાં રહેતી ગાયોની કોઈ વ્યવસ્થા ઊભી ના કરતા આજે ડીસા શહેરના ગૌરક્ષકો અને જીવદયાપ્રેમી સાથે મળીને ગૌશાળામાં રહેલી તમામ ગાયોને અન્યથા ગૌશાળામાં ખસેડા માટેની હાથ ધરવામાં આવી હતી જે બાદ ડીસાના ધારાશાસ્ત્રી અને જીવદયાપ્રેમી એવા એડવોકેટ ધર્મેન્દ્રભાઈ ફોફાણી તેમજ ગૌશાળાનું સંચાલન કરતાં મકશીભાઈ રબારી સાથે ગૌપ્રેમી દિપકભાઈ દેસાઈ દ્વારા ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના સત્તાધીશો અને હિન્દુત્વની વાતો કરતી સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો..