નાલંદા સંસ્કૃતિ ગૃપ દ્વારા વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રજીનું શાલ ઓઢાડી સન્માન કરાયુ
બિરલા કોલોનીમાં ચાલતી ભગવદ્ સપ્તાહમાં નાલંદા સંસ્કૃતિ ગૃપ દ્વારા વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રજીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.આ તકે સૌના આગ્રહને માન આપતા નાલંદા સંસ્કૃતિ ગૃપના અધ્યક્ષ મંજુલાબેને ધર્મસભાને સંબોધીત કરતા કહ્યું હતું, કે જેટલી ધાર્મિક કાર્યને વિધિ વિધાનની જરુરત છે .એટલીજ જરુરત સંસ્કૃતિને સંસ્કાર બચાવવાની છે. જો સંસ્કારને સંસ્કૃતિ જીવીત રહેશે તોજ ધર્મને સાચવી શકાશે .શૌર્ય વગરનું શસ્ત્ર જ્ઞાન વ્યર્થ છે .એમ સંસ્કાર વગરનું શાસ્ત્ર જ્ઞાન પણ વ્યર્થ છે . નાલંદા સંસ્કૃતિ ગૃપના કાર્યોનો પરિચય આપતાં કહ્યું હતું કે ચારીત્રહીનતા આપણો સમાજ ક્યારેય નથી સ્વીકારતો અને આ દેશના સંતો, ઋષિને સંન્યાસીઓએ કાયમ સંયમને ચારીત્રનીર્માણ પર ભાર મુકેલો છે. આ તકે નાલંદા સંસ્કૃતિ ગૃપ તરફથી મંજુલાબેન બાપોદરાને સરલાબેન લાખાણી હાજર રહ્યા હતા.
બિરલા કોલોનીમાં ચાલતી ભગવદ્ સપ્તાહમાં નાલંદા સંસ્કૃતિ ગૃપ દ્વારા વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રજીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું .આ તકે સૌના આગ્રહને માન આપતા નાલંદા સંસ્કૃતિ ગૃપના અધ્યક્ષ મંજુલાબેને ધર્મસભાને સંબોધીત કરતા કહ્યું હતું, કે જેટલી ધાર્મિક કાર્યને વિધિ વિધાનની જરુરત છે .એટલીજ જરુરત સંસ્કૃતિને સંસ્કાર બચાવવાની છે.