‘ દરેક નાગરિકને જાતપાતના ભેદભાવ વિના સમાન તકો મળવી જોઈએ દરેક નાગરિકને એકસરખા રાજકીય અધિકારો પ્રાપ્ત થવા જોઈએ’
ડો. બી. આર. આંબેડકર નો જન્મ 14 એપ્રિલ 1891 માં મઉ, મધ્યપ્રદેશમાં થયો હતો બહુમુખી પ્રતિભા ધરાવતા ભારતીય રાજપુરુષ દલિત આગેવાન પ્રખર ધારાશાસ્ત્રી, સમાજસુધારક અને બંધારણીય કાયદાના નિષ્ણાત હતા. પિતા રામજી સકપાલ ભારતના લશ્કરમાં સુબેદાર હતા ૧૯૦૭માં હાઇસ્કુલ માંથી મેટ્રિક ની પરીક્ષા પાસ કર્યા બાદ વડોદરા રિયાસતના રાજવી સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આપેલ શિષ્યવૃત્તિની ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈની એલફીન્સટન કોલેજમાં દાખલ થયા જેથી 1913 માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી હાંસલ કરી 1913 થી 16 દરમિયાન અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ડોક્ટરેટની પદવી માટે અભ્યાસ કર્યો 1917માં ત્યાંથી પીએચડી ની પદવી પ્રાપ્ત કરી સ્વદેશ પાછા ફર્યા તે પૂર્વે 1916 માં ઇંગ્લેન્ડથી બેરિસ્ટર થવા સત્ર ભર્યા. અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ની ડી.એસ.સી. ની પદવી પ્રાપ્ત કરી વડોદરા રિયાસતની શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી તે સમયે તેમની સમક્ષ પ્રસ્તુત કરેલ શરત મુજબ તેઓ વડોદરા રાજ્યની સેવામાં દાખલ થયા જે તેમના માટે કપરો અનુભવ સાબિત થયો જન્મથી દલિત હોવાથી સ્વર્ણોના હાથે તેમને વડોદરા રાજ્યમાં બહુ સહન કરવું પડ્યું. પરિણામે ત્યાંની નોકરી છોડીને તેઓ મુંબઈ વકીલાત કરવા જતા રહ્યા.
– 1918 – 20 ના બે વર્ષ ગાળામાં તેમણે ત્યાંની સિડન હામ કોલેજમાં અર્થશાસ્ત્રનું અધ્યયન કર્યું 1926 માં તેઓ મુંબઈની સરકારી લો કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા અને તેમની સાથે જ જાહેર જીવનની તેમની કારકિર્દીના શ્રી ગણેશ થયા હિન્દુ ધર્મમાં ચારતુવર્ણની જે વ્યવસ્થા છે તેને લીધે જ અસ્પૃશ્યતાનો એક અલાયદો વર્ગ ઉભો થયો. અને તેના મૂળમાં મનુસ્મૃતિ છે એવા કારણસર 1927 માં તેમણે મહાડ ખાતે મનુસ્મૃતિની એક નકલ જાહેરમાં બાળી નાખી હતી તે જ વર્ષે માર્ચ 1927 માં મહાડ ખાતેના જાહેર તળાવમાંથી દલિતોને પણ પાણી ભરવાનો હક મળવો જોઈએ તે માટેના સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું 1928 માં તેમણે ડિપ્રેસડ ક્લાસ એજ્યુકેશન સોસાયટીની તથા દલિતો માટેના છાત્રાલયની સ્થાપના કરી તે પૂર્વે 1924 માં તેમણે બહિસ્કૃત હિતકારીણી સભા નામની સંસ્થાની તથા 1927 માં સમતા સેવા સંઘની સ્થાપના ની પહેલ કરી હતી.
– તેમણે શિડયુલ કાસ્ટ ફેડરેશન નામની સંસ્થાની પણ સ્થાપના કરી હતી અને 1935 થી 38 ના ગાળામાં તેમણે મુંબઈની સરકારી લો કોલેજના આચાર્યનું પદ શોભાવ્યું હતું જ્યાં ન્યાયશાસ્ત્ર તથા બંધારણીય કાયદાના નિષ્ણાત તરીકે તેમને ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી વાઇસરોયની એજ્યુકેટીવ કાઉન્સિલમાં જોડાયેલા હતા જ્યાં તેઓને શ્રમ ખાતુ સોંપવામાં આવ્યું હતું માત્ર 26 વર્ષની ઉંમરે દલિતોના પ્રતિનિધિ તરીકેનો મોભો પ્રાપ્ત થયો કર્યો હતો.
– 1931 માં ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે તેમણે ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડયો હતો તે પૂર્વે 1928માં સાયમન કમિશન સમક્ષ રજૂઆત કરી કે દેશના દલિતોને લઘુમતી નો દરજ્જો પ્રાપ્ત થવો જોઈએ કારણકે તેઓ હિન્દુઓ કરતા તદ્દન અલાયદી કોમના છે. આ બાબતે તેમણે ભારપૂર્વક જણાવી હતી લગભગ આ અરસાથી જ દલિતોના માત્ર નેતા જ નહીં પરંતુ સાચા અર્થમાં ઉધારક તરીકે ડો. આંબેડકર ની છબી ઉપસી આવી હતી. 1938 માં તેમની જ પ્રેરણાથી અસ્પૃશ્યોની પ્રથમ અખિલ ભારતીય પરિષદ યોજવામાં આવી જેમાં 20,000 અસ્પૃશ્યોએ ભાગ લીધો હતો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજકારોની નીતિના સંદર્ભમાં ભારતના દલિતોને હિન્દુઓ કરતા અલગ બેઠકો ફાળવવાની રમત બ્રિટિશ સરકાર રમવા માંગતી હતી આમ કોમી ચુકાદામાં દલિતો માટે 71 અલગ બેઠકો ફાળવવામાં આવી હતી તેની સામે ગાંધીજીએ 1932 માં આમરણા ઉપવાસ શરૂ કર્યા. એટલે 1932 માં ગાંધીજી અને ડો. આંબેડકર વચ્ચે સમાધાન થતા પુણે કરાર પર સહી સિક્કા કરવામાં આવ્યા આ કરાર મુજબ હિંદુઓ માટે ફાળવવામાં આવેલ કુલ બેઠકોમાંથી 148 બેઠકો દલિતો માટે આરક્ષિત કરવામાં આવી.
– ઓગસ્ટ 1947 માં ભારતને સ્વતંત્રતા મળી ત્યારબાદ ગાંધીજીના આગ્રહને કારણે ડો. આંબેડકર નો પણ સમાવેશ ભારતની પ્રથમ કેન્દ્રીય સરકારમાં કરવામાં આવ્યો હતો. તેમને કાયદાખાતું સોપવામાં આવ્યુ હતું સાથોસાથ મુસદ્દા સમિતિના ચેરમેન પદે ડો. આંબેડકરની વર્ણી કરવામાં આવી હતી ડો. આંબેડકરે ઝીણવટ અને કુશળતા થી જે કાર્ય કર્યું. એટલા માટે જ તેમને ભારતમાં ‘બંધારણના ઘડવૈયા’ અને ‘આધુનિક મનુ’ તરીકે ઓળખવામાં આવે છે 1952 માં તેમણે રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા નામની અલગ રાજકીય પક્ષની સ્થાપના કરી. તેમના પ્રયત્નોને કારણે જ 1941 માં ભારતના લશ્કરમાં મહાર બેટેલિયન ઉભી કરવામાં આવી હતી આવી 6 બેટેલિયનોમાં માત્ર મહાર જ્ઞાતિના સૈનિકોનો સમાવેશ થાય છે.
– ડો. આંબેડકર પોતાના જીવનકાળ દરમિયાન મેળવેલ પદવીઓ પરથી તેમની પ્રખર બુદ્ધિમતા અને વિધ્વતાનો પરિચય થાય છે પી.એચ.ડી ની પદવી માટેના મહા પ્રબંધ ઉપરાંત તેમણે ‘કાસ્ટસ ઇન ઇન્ડિયા ધેર મિકેનિઝમ જેનિસિસ એન્ડ ડેવલોપમેન્ટ ‘ (1916)પર પણ અલાયદો સંશોધન લેખ પ્રકાશિત કર્યો હતો ૧૯૫૬માં તેમણે તેમના અસંખ્ય અનુયાયુઓની ઉપસ્થિતિમાં નાગપુર ખાતે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો તે પૂર્વે 1955માં તેમણે ભારતીય બુદ્ધ મહાસભાની સ્થાપના પણ કરી હતી.
– મહાત્મા જ્યોતિબા ફુલે જેવા સમાજ સુધારકોની જેમ ડો. આંબેડકરને પણ સાક્ષરતામાં નિરક્ષરોમાં જાગૃતિ લાવવામાં અને શિક્ષણના સાર્વત્રિક પ્રચારમાં સંપૂર્ણ નિષ્ઠા હતી અને તે માટે તેઓ જીવનભર ઝૂઝયા હતા. ડો. આંબેડકર એ પોતાની જ્ઞાતિ માટે સમાજ માટે અને બહોળા અર્થમાં સમગ્ર દેશ માટે જે ચક્રવર્તી કાર્ય કર્યું છે તેની કદરરૂપે તેમને ભારત સરકારે 1990 માં ‘ભારત રત્નના’ સર્વોચ્ચ ખિતાબથી મરણોતર નવાજયા હતા.” 14 એપ્રિલ 2023 એ 132મી ડો. ભીમરાવ આંબેડકર જયંતિએ 19 મી સદીમાં જન્મનાર મહામાનવને નમ મસ્તક વંદન! “