પોરબંદર ની ધાર્મિક સામાજિક મેડિકલ શૈક્ષણિક આર્થિક પશુ પક્ષીઓ માટે સતત સેવાના કાર્યો કરતી સંસ્થા માહી ગ્રુપના સભ્યો મિત્રોના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકાર્યો દ્વારા થતી હોય છે ત્યારે માહી ગ્રુપના સેવાભાવી સભ્ય અનિલભાઈ મશરૂના ધર્મપત્ની બીનાબેન મશરૂના જન્મદિવસ નિમિત્તે ગ્રુપના સભ્યો દ્વારા વિવિધ સેવાકાર્યોના આયોજન કરવામાં આવ્યા હતા જેમાં માહી ગ્રુપના સભ્યો દ્વારા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ, કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ, કીડીને કીડીયારુ, માછલીઓને ભોજન, વિદેશી પક્ષીઓને ખોરાકનું વિતરણ કરાયું હતું ત્યારબાદ બીનાબેન મશરૂના દીર્ધાયુ આયુષ્ય અને તંદુરસ્તી માટે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની પૂજા અર્ચના અને કથાનું આયોજન સત્યનારાયણ મંદિર ખાતે કરાયું હતું જેમાં માહી ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન સત્યનારાયણ દેવની કથાનો અમૂલ્ય લાભ લીધો હતો ત્યારબાદ માણેકબાઈ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો (ભૂદેવો) ને ભોજન પ્રસાદી કરાવી હતી એ ઉપરાંત શિશુકુંજના દિવ્યાંગ બાળકોને, તેમજ માણેકબાઈ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારોને તેમજ ફૂટપાથ પર રહેતા જરૂરિયાતમંદ લોકોને ઉનાળાની કાળજાળ ગરમીમાં રાહત મળી રહે તેવા શુભ હેતુથી આઈસ્ક્રીમનું વિતરણ કરી મીઠું મોઢું કરાવી અને જન્મદિવસની અનેરી ઉજવણી મોંઘી પાર્ટીઓ કરીને નહીં પરંતુ પશુ પક્ષીઓથી લઈ અને માનવીઓ સુધીના લોકો માટે વિવિધ સેવાના કાર્યો કરી અને કરવામાં આવી હતી આ તકે પોરબંદરની જાહેર જનતાએ પણ આ સેવાકાર્યોને બિરદાવ્યા હતા અને બીનાબેનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
ઉપરોક્ત સેવાકાર્યોના આયોજનમાં માહી ગ્રુપ પ્રમુખ કમલભાઈ ગોસલીયાના માર્ગદર્શન નીચે માહી ગ્રુપના સભ્યો દ્વારા સેવાકાર્યો પૂર્ણ કરવામાં આવ્યા હતા