રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી દ્વારા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી
આજરોજ ભારતના બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી જિલ્લા દ્વારા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી જિલ્લા ટીમ સાથે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી માનનીય ભીખુસિહ પરમાર પણ ખાસ જોડાયા હતા.
ત્યારબાદ ભીમમહાયાત્રામાં જોડાવા માટે મોડાસા તાલુકા શાળા નં 1 ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી જિલ્લાના તથા તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા મોડાસા નગર પાલિકા ની ટીમ દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જ્યંતિ ને લઇને ઠેર ઠેર અનેક કાર્યક્રમો યોજાવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પુષ્પાંજલિ અર્પી હતી. અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારો માં ડો બાબા સાહેબ આંબોડકર ની ભવ્ય શોભાયાત્રી ઓ યોજવામાં આવી હતી , ત્યારે ભિલોડા તાલુકાના અલગ અલગ વિસ્તારો માં પણ પુષ્પાંજલિ ના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જ્યાં શહેરીજનો તેમજ વિવિધ સંગઠનના આગેવાનો અને હોદ્દેદારોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી.