ભારતીય બંધારણ ના ઘડવૈયા ડૉ બાબા સાહેબ આંબેડકરની આજે 132મી જન્મ જયંતી છે ત્યારે વડોદરા શહેરમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલા આંબેડકર ભવન ની ઉદઘાટન ના અભાવે દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે 11 કરોડ ના ખર્ચે તૈયાર કરાયેલા આંબેડકર ભવન ની યોગ્ય જાળવણી થાય તેમજ નાગરિકો માટે વહેલી તકે આ ભવન ખુલ્લું મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આજે ડૉ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી છે એ તો સૌ કોઈ ને ખ્યાલ હશે પરંતુ શું તમને ખબર છે આપણા ભારતીય બંધારણ ના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો વડોદરા સાથે કઈક જુદો જ નાતો છે. ડૉ બાબા સાહેબ આંબેડકર એ પોતાના જીવન નો મહત્વ નો સમય વડોદરા માં પસાર કાર્યો હતો.તેમને વડોદરા ના સાયજીબાગ ખાતે આવેલા સંકલ્પ ભૂમિ ખાતે થી સમાજને અશપ્રુષ્યતા ના દુષણ માંથી બહાર લાવવાનો સંકલ્પ કર્યો હતો, અને ત્યાર બાદ ભારતીય બંધારણ લખવાની શરૂઆત કરી હતી. જેને આજે આપણે કાયદો અને વ્યવસ્થા ના નામે ઓળખીએ છીએ. બાબા સાહેબ આંબેડકર એ વડોદરા શહેર ને વિશ્વમાં અલગ ઓળખ અપાવી છે ત્યારે આજ વડોદરા ના પાપી તંત્ર દ્વારા બાબા સાહેબ ના નામે કરોડો રૂપિયા નો વેડફાટ કરવામાં આવી રહ્યો છે.
વડોદરા મહાનગર પાલિકા દ્વારા રૂ. 11 કરોડ ના ખર્ચે શહેરના ફતેગંજ વિસ્તારમાં ભવ્ય આંબેડકર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આંબેડકર ભવન ની મુલાકાત બાદ નાગરિકો બાબા સાહેબ વિશે કઈક વિશેષ જાણી શકે તેમને કરેલા કઠોળ પરિશ્રમ તેમજ દેશ હિતમાં કરેલા ઉમદા કર્યો વિશે માહિતી મેળવી શકે તે ઉદ્દેશ્યથી આ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આજે ઘણા વર્ષો વિત્યા છતાં તંત્ર દ્વારા કરોડો ના ખર્ચે તૈયાર કરાયેલા આંબેડકર ભવન નું ઉદઘાટન નથી કરવામાં આવ્યું જેના કારણે નાગરિકો આ ભવનની મુલાકાત થી વંચિત રહી જાય છે.ઉલ્લેખનીય છે કે ઉદઘાટન ના અભાવે આ આંબેડકર ભવન ની સ્થિતિ હાલ દયનીય જોવા મળી રહી છે ત્યારે શહેરના સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વહીવટી તંત્ર પર ગંભીર પ્રકાર ના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા.
એક વાતચીત માં સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા કોઈ ને કોઈ રીતે પ્રજા ના પૈસા નો વેડફાટ કરવામાં આવે છે.પ્રજા ના પૈસા તો ઠીક આ ભ્રષ્ટાચારી બાબુઓ દ્વારા બાબા સાહેબ આંબેડકર ના નામે પણ કટકી કરવામાં આવી છે જે ખુબજ શરમજનક બાબત છે. પાલિકા દ્વારા આંબેડકર ભવન નું ઉદઘાટન તો નથી જ કરવામાં આવ્યું તો સાથે જ યોગ્ય જાળવણી પણ નથી કરવામાં આવી રહી. જેના કારણે આ ભવન ધીરે ધીરે ખંડેરમાં પરિવર્તિત થઈ રહ્યું છે તો સાથે જ અહીં અસહ્ય ગંદકી ના કારણે સ્થિતિ દયનીય બની છે