2023-24થી 1 જૂને 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને જ ધોરણ 1 એટલે કે પ્રાથમિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે. જો બાળક 1 જૂને 6 વર્ષ પૂર્ણ નહીં કરે તો તેને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
ત્યારે આ મામલે હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. આમ રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
હાઈકોર્ટમાં અરજદારે 3 લાખ બાળકોના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરતા આ બાબતનો કર્યો ઉલ્લેખ
રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો
6 વર્ષની વયે બાળકોને શાળામાં પ્રવેશ મુદ્દે હાઈકોર્ટમાં કરવામાં આવી અરજી
સરકારના નિર્ણયથી 3 લાખથી વધુ બાળકોને થશે અસર
અરજદાર દ્વારા કરવામાં આવ્યો આક્ષેપ
બાળકોને વધુ એક વર્ષ પ્રી પ્રાઈમરી સ્કૂલોમાં ભણવું પડશે તેવી રજૂઆત
કોઈપણ વયના બાળકો ખાનગી શાળાઓમાં આડેધડ પ્રવેશ મળતો હોવાથી અગાઉ આ નિર્ણય કરાયો છે, તેથી સરકારે ધોરણ 1 માં પ્રવેશ માટે ચોક્કસ વય મર્યાદા નક્કી કરી છે. આગામી સમયમાં પ્રાથમિક શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે જો તેમને નર્સરીમાં રાખવાના હોય તો નવા નોટિફિકેશનને ધ્યાનમાં રાખીને એડમિશન આપવામાં આવશે, 5 વર્ષનાં બાળકોને પ્રવેશ ધોરણ 1માં અપતો હતો ત્યારે હવે આગામી વર્ષથી માત્ર 6 વર્ષ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે.
હાઈકોર્ટે પ્રાથમિક દ્રષ્ટીએ આ આરજીને માન્ય રાખી
6 વર્ષની વયે બાળકોને શાળામાં પ્રવેશ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. સરકારના નિર્ણયથી 3 લાખથી વધુ બાળકોને અસર થશે તેમ જણાવવામાં આવ્યું છે. અરજદાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપમાં બાળકોને વધુ એક વર્ષ પ્રી પ્રાઈમરી સ્કૂલોમાં ભણવું પડશે તેવી રજૂઆત કરાઈ છે. જો કે, સરકાર જૂન 2023ના નિર્ણયને બદલીને ડીસેમ્બર સુધીમાં રાહત આપવા અરજદારની માંગ કરાઈ છે. હાઈકોર્ટે પ્રાથમિક દ્રષ્ટીએ આ આરજીને માન્ય રાખી છે. જેથી આ મામલે વધુ સુનાવણી હાઈકોર્ટ દ્વારા કરાશે.