CPR એક એવી ટ્રેનિંગ છે, જેની મદદથી હાર્ટ એટેક જેવી કોઇપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સીમાં કોઇપણ વ્યક્તિનો જીવ બચાવવામાં મદદ કરે છે તેમ સી આર પાટીલે કહ્યું હતું.
યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા વધી રહી છે તેવા સમયે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓને ડોક્ટર્સ દ્વારા CPR ટ્રેનિંગ અભિયાનનો સુરત ખાતેથી ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જી એ પ્રારંભ કરાવી ભાજપાનાં મૂળભૂત સંસ્કાર સાકાર થઇ રહ્યાની અનેરા આત્મસંતોષની લાગણી અનુભવી.
“સેવા” એ ભારતીય જનતા પાર્ટીનાં મૂળભૂત સંસ્કાર છે, ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓએ પ્રત્યેક પરિસ્થિતિમાં લોકોની વચ્ચે રહી આ સંસ્કારને સદાય સાકાર કરવાનો સફળ પ્રયાસ કર્યો છે અને એટલે જ ગુજરાતભરમાં કાર્યકર્તાઓને આ ટ્રેનિંગ આપવાનું મહાઅભિયાન શરૂ કરાયું છે.
આ ટ્રેનિંગ આપી રહેલા ગુજરાતનાં 1200થી વધારે ડોક્ટર્સનો આભાર માન્યો હતો.
આજે 1200 થી વધુ તબીબો દ્વારા ગુજરાતની 38 મેડિકલ કોલેજોમાં CPR ટ્રનિંગ આપવામાં આવી રહી છે. સવારે 09 વાગ્યાથી સાંજે 06 કલાક સુઘી ચાલનાર છે આ કાર્યક્રમનો ઉદ્દેશ કે વધુમાં વધુ કાર્યકરોને સીપીઆર ની ટ્રેનીંગ આપીને જનતાને મદદ મળે તે છે. આ કાર્યક્રમમાં બુથથી લઇ પ્રદેશ કક્ષા સુધીના કાર્યકરો ટ્રેનીંગ લેવાના છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટકનું પ્રમાણ વધી રહ્યુ હોવાનું ધ્યાનમાં આવ્યું છે જેથી તાત્કાલીક સારવાર કેવી રીતે મળી રહે તે માટે આ ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સીપીઆર ટ્રેનીગ કાર્યક્રમમાં જોડાશે જે એક વિશ્વ રેકોર્ડ સ્થાપિત થશે કાર્યકરોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ ટ્રેનીંગ લઇ જનતાને ઉપયોગી થશે.