કોંગ્રેસ નેતાઓ એક પછી એક મેવાણી સાથે
ગુજરાતમાં દારૂ અને નાર્કોટિક્સના ગેરકાયદેસર વેપારને લઇ ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી વધુ તીવ્ર બની છે. કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા પોલીસ બાબતે કરવામાં આવેલી કઠોર ટિપ્પણી પછી વાદ–વિવાદ વધુ ઉગ્ર બન્યો. તેમના નિવેદનને આધારે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ખુલ્લું સમર્થન આપતાં મુદ્દો રાજ્યસ્તરે ગરમાયો. તેમની દલીલ છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અધિકારીઓ સામે કડક એક્શન જરૂરી છે.
જન આક્રોશ યાત્રામાં મેવાણીનું વિવાદાસ્પદ નિવેદન
વાવ-થરાદ વિસ્તારમાં યોજાયેલી જન આક્રોશ યાત્રા દરમ્યાન મેવાણીએ સ્થાનિક મહિલાઓના આરોપો સાંભળી પોલીસની ભૂમિકા પર સવાલ ઉભા કર્યા. તેમણે ચેતવણી સ્વરૂપ કહ્યું કે પગલા નહીં લેવાય તો અધિકારીઓના ખાકી પટ્ટા ઉતરી જસે. આ નિવેદન બાદ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોએ રોષ વ્યક્ત કર્યો તથા માફી અને રાજીનામાની માંગ કરી. જો કે, શહેરમાં મેવાણીના સમર્થનમાં મોટી રેલી નીકળી જેનાથી જાહેર સપોર્ટ સ્પષ્ટ થયો.
રાજકીય મોરચે સોલંકીનું મુકત સમર્થન
આ રેલી બાદ નૌશાદ સોલંકીએ મેવાણીનો સાથ આપતાં કહ્યું કે આવા નિવેદન સમાજને જગાડે છે. તેઓ માને છે કે લાખો રૂપિયાના ડ્રગ્સ પકડાય છતાં મોટા ખેલાડીઓ બચી જાય છે. સોલંકીએ દાવો કર્યો કે સિસ્ટમમાં ગાબડાં છે અને આવા કેસોમાં ઝડપ વધવી જોઈએ. આ સમર્થન બાદ ચર્ચાએ વધુ રાજકીય વલણ પકડ્યું અને મુદ્દો એકલ વ્યક્તિ નહિ પરંતુ પાર્ટી સ્ટેન્ડ બની ગયો.
કોંગ્રેસ નેતાઓના નિવેદનથી વિવાદ વધુ ઘેરાયો
અનંત પટેલ અને ઘેમરભાઈ રબારી જેવા અન્ય નેતાઓ પણ મેવાણીની લાઇન પર ચાલતા પોલીસમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવી ચુક્યા છે. નવસારીમાં યાત્રા દરમિયાન અનંત પટેલે કહ્યું કે ડ્રગ્સ નેક્સસનો અંત આવશે અને ભ્રષ્ટ અધિકારીઓના પટ્ટા 2027માં ઉતરશે. આ નિવેદનો બાદ ગુજરાત પોલિટીક્સમાં બે મોરચા સ્પષ્ટ દેખાય છે—એક જવાબદારીની માંગ સાથે, અને બીજું પોલીસની પ્રતિષ્ઠા બચાવવા મોરચે. આગળ સુરત અને થરાદમાં ડ્રગ્સ વિરોધી કામગીરી વધવાની સંભાવના સામે ચર્ચા વધુ ઊંડું સ્વરૂપ ધારણ કરી રહી છે.

