અમરનાથ યાત્રામાં ગયેલા વડોદરાના વધુ એક યુવાનનું હાર્ટ એટેક આવતા કરૂણ મોત થતા માત્ર 10 દિવસમાં વડોદરાના બે યાત્રિઓના મોત નોંધાયા છે.
વડોદરાના ફતેપુરા સ્થિત પીતાંબર પોળમાં રહેતા 32 વર્ષીય યુવાન ગણેશ કદમ અમરનાથ યાત્રાએ ગયા હતા જ્યાં તેઓને હાર્ટએટેક આવતાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
વિગતો મુજબ પીતાંબર પોળમાં રહેતા અને એલ્યુમિનિયમ સેક્શનનું કામ કરતા ગણેશ કદમ પોતાના મિત્રો સાથે અમરનાથ યાત્રાએ ગયા હતા. જ્યાં તેમને પહેલગામમાં ઉલ્ટી થવા લાગતા તબિયત બગડતા સ્થાનિક દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને બે હાર્ટ એટેક આવ્યા હતા અને ત્રીજો એટેક આવતા તેમનું મોત થયું હતુ આ ઘટનાને પગલે તેઓના પરિવાર તેમજ મિત્ર વર્તુળમાં શોકની લાગણી ફરી વળી છે.
આજે સવારે 10 વાગ્યે પોસ્ટમોર્ટમ થયા બાદ તેમના મૃતદેહને શ્રીનગરથી વિમાન માર્ગે વડોદરા ખાતે લાવવામાં આવશે.
અમરનાથની યાત્રામાં મૃત્યુ પામેલા 32 વર્ષે યુવાનને પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 10 દિવસ અગાઉ પણ વડોદરાના વેમારી ગામના રાજેન્દ્ર ભાઈ ભાટિયા નામક અમરનાથ યાત્રીનું મોત થયું હતું અમરનાથમાં વરસાદ અને બરફના માહોલ વચ્ચે ઓક્સિજન લેવલ ઘટી જતા ઘોડા પરથી નીચે પડી જતાં 58 વર્ષીય રાજેન્દ્ર ભાટિયાનું મૃત્યુ થયું હતુ.
ત્યારબાદ 10 દિવસમાં મૃત્યુ થવાનો આ બીજો બનાવ છે.
જોકે ગુજરાતની વાત કરવામાં આવેતો છેલ્લા 10 દિવસમાં ચાર ગુજરાતી અમરનાથ યાત્રીનું મૃત્યુ થયા છે.
1. ગણેશભાઈ કદમ (ફતેહપુરા, વડોદરા)
2. ઊર્મિલાબેન ગિરિશભાઇ મોદી (કામરેજ, સુરત)
3. શિલ્પાબેન નરેશભાઈ ડાંખરા (સિદસર, ભાવનગર)
4. રાજેન્દ્રભાઇ ભાટીયા (વેમાલી, વડોદરા)