અમરેલીના લાઠી નજીક આવેલા દુધાળા ગામના નારાયણ સરોવરમાં ઉનાળાની કાળ ઝરતી ગરમીમાં ન્હાવા પડેલા પાંચ કિશોરોના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત થઈ જતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
મજૂરી કામ કરી રહેલા પરિવારના આ કિશોરના મોતને પગલે શોકની લાગણી પ્રસરી ગઈ છે અને પાંચેય કિશોરોના મોતને પગલે લાઠી શહેર 5 વાગ્યા બાદ સજ્જડ બંધ રહ્યું હતું. મૃતકોમાં
વિશાલભાઈ મનીષભાઈ મેર, ઉંમર વર્ષ 16,નમનભાઈ અજયભાઇ ડાભી, ઉંમર વર્ષ 16,રાહુલભાઈ પ્રિવીણભાઈ જાદવ, ઉંમર વર્ષ 16,મિત ભાવેશભાઈ ગળથીયા, ઉંમર વર્ષ 17 અને હરેશભાઇ મથુરભાઈ મોરી ઉમર વર્ષ 18 નો સમાવેશ થાય છે.
આ ઘટના બપોરે એક વાગ્યે બની હતી
જે અંગે જાણ થતાંજ ઇન્ચાર્જ મામલતદાર સહિત સ્થાનીક પોલીસ અને શહેરના અગ્રણીઓ સેવાભાવી લોકો તેમજતરવૈયાઓની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને શોધખોળ શરૂ કરતા તમામ કિશોરના મૃતદેહ મળી આવતા મૃતકના પરિવારમાં આક્રંદ છવાયુ હતુ કરુણતા તો એ વાતની છે કે મૃતકો પૈકી રાહુલ પ્રવિણભાઇ જાદવ, મીત ભાવેશભાઈ ગળથિયા અને નમન અજયભાઈ ડાભી આ ત્રણેય કિશોર તેમના પરિવાર માં એકના એક પુત્ર હતા.
આ કિશોરો પણ નાનું મોટું કામ કરી પરિવારને મદદરૂપ બનતા હતા.
અચાનકજ પોતાના પરિવારના બાળકોના મોત થઈ જતા ગરીબ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.