અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેન બાદ સેમી હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું આજે અમદાવાદમાં ટ્રાયલ લેવામાં આવ્યું હતું,નવી પેઢીની નવા જમાનાની આ ટ્રેન હવે ગુજરાતમાં શરૂ થવા જઈ રહી છે.
દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવરાત્રિમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થઈ જશે જે પ્લેનમાં બેઠા હોય તેવો અનુભવ કરાવશે.
આજે સવારે અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 130 કિમીની ઝડપે દોડાવીને ટ્રાયલ રન લેવાયું હતું. ટ્રાયલ રન દરમિયાન વડોદરા સ્ટેશન પર હોલ્ટ કર્યા બાદ સીધી મુંબઈ ખાતે આ ટ્રેન ઊભી રહેશે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 180થી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.
આજે ટ્રાયલ સફળ થયા બાદ નવરાત્રિમાં આ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થાય તેવી શકયતા છે.
આધુનિક સ્પીડી આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે.
આ ટ્રેન નું અમદાવાદ- મુંબઈનું ભાડું રૂ.3500 રાખવામાં આવ્યું છે. અમદાવાદથી સવારે 7.25 વાગે ઊપડી બપોરે 13.30 વાગે મુંબઈ પહોંચશે, જ્યારે મુંબઇથી આ ટ્રેન બપોરે 14.40 વાગે ઊપડી રાતે 21.05 વાગે અમદાવાદ પહોંચશે. સુરત ખાતે આ ટ્રેનનું કોમર્શિયલ સ્ટોપેજ અપાયું હોવાનું રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું.
હાલ દેશમાં વારાણસી – નવી દિલ્હી અને દિલ્હી – કટરા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસમાં સંચાલન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ-મુંબઈનું 491 કિમીનું અંતર 6 કલાકમાં પૂરું થશે. ચેરકાર અને એક્ઝિક્યુટિવ ચેરકાર સીટ ધરાવતી આ ટ્રેનનું ભાડું શતાબ્દીથી વધુ અને તેજસ કરતા ઓછું રહેશે.
1128 પેસેન્જર મુસાફરી કરી શકશે. વર્ષ 2023 સુધીમાં અમદાવાદ-મુંબઈ સહિત 75 રૂટ પર ટ્રેન દોડાવાશે. પેસેન્જરોને ઈન્ફર્મેશન સિસ્ટમ, સીસીટીવી કેમેરા, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર, સ્મોકિંગ ડિરેક્શન એલાર્મ જેવી સુવિધાઓ છે.
રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે રોમાંચક અને યાદગાર મુસાફરી બની રહેશે.