લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ 26 બેઠક પર નહીં જીતી શકે તેમ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવી ભાજપને ભ્રષ્ટાચારને ભાજપને સગી બહેન ગણાવી હતી.
ઈશુદાન ગઢવીએ કહ્યું કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના જ છે અને પાર્ટી માટે ચૂંટણી લડશે.
વડોદરામાં હોદ્દેદારોની શપથવિધિ માટે પહોંચેલા ઈશુદાન ગઢવીએ આ મુજબ નિવેદન આપ્યું હતું.
ભાજપના શાસનમાં ડમીકાંડ, પેપર લીક કાંડ, બ્રિજ તૂટવાની ઘટનાઓ બની છે જેમાં કોઈ ઇડી કે સીબીઆઇની તપાસ થઈ નથી.
રાજ્યમાં મહિલાઓ અસુરક્ષિત છે, યુસીસી મુદ્દે આદિવાસી સમાજ નારાજ છે, પ્રિમોન્સૂન બેઠકો માત્ર ધતિંગ જ છે અને તેમાં નાસ્તો જ કરી છુટા પડે છે.
ભાજપની જેમ આમ આદમી પાર્ટીએ પણ શહેર બોર્ડ બૂથ અને પેજ સમિતિની ટીમ બનાવવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, ફેબ્રુઆરી સુધીમાં પેજ સમિતિનું પ્લાનિંગ છે.
શહેરમાં વોર્ડ દીઠ તિરંગા બેઠકો કરાઈ રહી છે.
આમ આદમી પાર્ટીની સત્તા આવશે તો ભાજપના ભ્રષ્ટાચારની તપાસ કરીશું તેમ ઈશુંદાન ગઢવીએ ઉમેર્યું હતું.