સૌરાષ્ટ્રમાં કાલાવડ તાલુકાના શિશાંગ ગામે ચણાનો ભુક્કો વેચવાનો ધંધો શરૂ કર્યા બાદ હિસાબમાં વાત વણસતા થયેલી બબાલમાં એક વ્યક્તિને ચપ્પુનો ઘા મારી દેવાતા તેઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.
વિગતો મુજબ શિશાંગમાં રહેતા 22 વર્ષીય જયદિપસિંહ ઉર્ફે કકન ગજરાજસિંહ જાડેજા તેમજ વિશ્ર્વરાજસિંહ રાજેન્દ્રસિંહ, અમરદિપસિંહ સુરૂભાએ હરદિપસિંહ જયેન્દ્રસિંહ સાથે ભેગા મળી ખેડૂતો પાસેથી ચણાનું ખારીયુ (ભુક્કો) લઇ તેનો ધંધો ચાલુ કર્યો હતો આ ભૂક્કો હરદીપસિંહની વાડીએ રાખી ત્યાંથી છુટક વેચાણ કરતા હતા.
દરમિયાન ધંધાનો હિસાબ કરવા જયદિપસિંહ જાડેજાના જુના ઘર પાસે ભેગા થયા ત્યારે હરદીપસિંહે હિસાબમાં ગોટાળા કરી પૈસા પચાવી પાડવા માંગતો હોવા મામલે જયદીપસિંહ અને સાહેદોએ ગોટાળા ન કરવાનું કહેતા હરદીપસિંહ ઉશ્કેરાઇ ગયેલ અને ગાળો બોલતા મામલો ગરમાયો હતો અને લાકડીઓ ઉછળી હતી અચાનક છરી કાઢી હરદીપસિહે જયદીપસિંહ અને વિશ્વરાજસિંહ ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. વિશ્ર્વરાજીસિંહને વધુ ગંભીર ઇજા હોવાથી સારવાર માટે હોસ્પિટલ દાખલ કરેલ છે.
મામલે જયદીપસિંહ જાડેજાની ફરિયાદને આધારે પોલીસે આરોપી હરદીપસિંહ જયેન્દ્રસિંહ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.